________________
७४
મગ્નાષ્ટક - ૨
જ્ઞાનસાર પ્રવૃત્તિધર્મ ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ આત્મદ્રવ્યના સ્વભાવભૂત આ આત્મધર્મ છે આમ આત્મધર્મ સમજીને તે પ્રાપ્ત થવો આ લોકમાં ઘણો દુર્લભ છે.”
“પોતાના આત્મદ્રવ્યના સ્વભાવભૂત ધર્મનું શ્રવણ ઘણું જ દુર્લભ કહેલું છે” આમ જિનેશ્વર ભગવંતોનું આગમ જણાવે છે. તથા તે આત્મધર્મની સાથે સ્પર્શના થવી-એકમેકતા થવી-તેની લગની લાગવી એ તો કોઈ ધીરપુરુષોમાં જ આવે છે.”
આ કારણથી વસ્તુના સ્વરૂપાત્મક જે શુદ્ધ ધર્મ છે તેનો સ્પર્શ થવાથી અતિશય શીતલ બનેલા (રાગ-દ્વેષાદિ વિકારોથી રહિત બનેલા) એવા મહાત્માઓમાં જ પરમપૂજ્યપણું રહેલું છે. તેવા મહાત્માઓ જ દર્શનીય, વંદનીય અને પૂજનીય છે. તેઓને અમારા લાખો લાખો ભાવથી વંદન હોજો. III
यस्य दृष्टिः कृपावृष्टिः, गिरः शमसुधाकिरः । तस्मै नमः शुभज्ञानध्यानमग्नाय योगिने ॥८॥
ગાથાર્થ - જે ઉત્તમ આત્માની દૃષ્ટિ કૃપા વરસાવનારી છે અને વાણી સમભાવ રૂપી અમૃતને વરસાવનારી છે તેવા શુભ જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન રહેનારા યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. Iટા
ટીકા :- “ગતિ"- THજ્ઞાનધ્યાનમનાય યોશિને નમ:, શુકં નામ શુદ્ધમ, ज्ञानं-यथार्थपरिच्छेदनम्, भेदज्ञानविभक्तस्वपरत्वेन स्वस्वरूपैकत्वानुभवः, तन्मयत्वं ध्यानम्, तत्र मग्नः, तस्मै योगिने मनोवाक्कायरोधकाय रत्नत्रयाभ्यासशुद्धसाध्यसंसाधकाय नमः । कस्मै नमः ?
यस्य दृष्टिः कृपावृष्टिः परमकरुणावर्षिणी, यस्य गिरः वाचां समूहः शमसुधाकिरः क्रोधादिपरित्यागः शमः, स एव सुधा-अमृतम्, तस्याः किरणंसेचनम्, (यस्य) तच्छीला दृष्टिः कृपामयी, वाक् समतामृतमयी, तस्मै योगिने नमः રૂતિ |
વિવેચન - ઉત્તમ જ્ઞાનમાં અને ઉત્તમ ધ્યાનમાં મગ્ન એવા તે યોગિપુરુષને મારા નમસ્કાર હોજો. અહીં શુભ એટલે શુદ્ધ, નિર્દોષ, મોહની મલીનતા વિનાનું. અને જ્ઞાન એટલે જે વસ્તુનું જેવું સ્વરૂપ છે તે વસ્તુના તેવા સ્વરૂપનો બોધ કરાવનારું અર્થાત્ યથાર્થ વસ્તુનું પરિચ્છેદક તે જ્ઞાન, એટલે કે ભેદજ્ઞાન કરવા દ્વારા સ્વ-સ્વરૂપ અને પર-સ્વરૂપનો