________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચઉવિહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ-ચરિમં
પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ચઉવિહંપિ આહાર અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણ વોસિરઇ (વોસિરામિ).
૩૭
અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પચ્ચક્ખાણ કરે છે (કરું છું) . તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા- પાણી સાથે)નો અનાભોગ ( ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર ( પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર ( કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ – ઠામ ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ અને બિયાસણવાળાએ અને સૂર્યાસ્ત આસપાસ ચારે આહાર છોડનારે આ પ્રત્યાખ્યાન કરવું.)
તિવિહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
દિવસ ચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ)
તિવિહંપિ આહારં અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણા-ભોગેણં, સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઇ (વોસિરામિ). અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પચ્ચક્ખાણ કરે છે (કરું