SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલા રાતના પચ્ચક્ખાણ કરવાનાં હોય છે. એથી કરીને અહિં ‘પચ્ચક્ખાણ આવશ્યક' કરી લેવામાં આવે છે.) ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી. (૧) હે ભગવન્ ! કૃપા કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી. (૧) સાંજનાં પચ્ચક્ખાણ પાણહાર પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણું વોસિરઇ (વોસિરામિ) . અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યંત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું) . તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું) . (નોંધ-આયંબિલ –એકાસણ–નીવિ કે બીજા બિયાસણાવાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચક્ખાણ કરવું.)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy