SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદન વિધિસહિત સવ્વભ્રૂણં, સવ્વદરિસીણં, સિવ, મયલ, મરુઅ, મહંત, મક્ખય, મવ્વાબાહ, મપુણરાવિત્તિ, સિદ્ધિગઇ નામધેય, ઠાણું સંપત્તાણું, નમો જિણાણું જિઅભયાણ્યું. (૯) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસંતિણાગયે કાલે, સંપઇ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦) અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કા૨ થાઓ. (૨) પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩) લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠ ચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, જેમનું છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકા૨જણાવનાર, કર્મથી મુક્ત-મુક્ત કરાવનારા. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), જ્યાંથી ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા છે, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy