________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૦૫
૩૦૫
સાંજનાં પચ્ચકખાણ
પાણહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે પાણહાર દિવસ-ચરિમં પચ્ચખાઇ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઇ (વોસિરામિ) .
અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પાણી નામના આહારનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહારાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ ચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ-આયંબિલ -એકાસણ-નવિ કે બીજા બિયાસણાવાળાએ સૂર્યાસ્ત પહેલાં તિવિહારનું પચ્ચખાણ કરનાર ભાગ્યશાળીએ આ પાણહારપચ્ચખાણ કરવું.)
ચઉવિહાર પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચકખાઇ (પચ્ચકખામિ), ચઉવિલંપિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ