SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત અર્થ - મુક્રિસહિત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). નોંધ: દિવસ દરમ્યાન જ્યારે પણ મુખ શુદ્ધહોય ત્યારે આ પચ્ચકખાણ કરવું હિતાવહ છે. મુક્રિસહિઅં પચ્ચકખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે મુસિહિઅં પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિઅ, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. અર્થ - મુકિસહિત પ્રત્યાખ્યાન મેં સ્પર્ફે (વિધિ વડે ઉચિત કાલે જે પચ્ચખાણ લીધું હોય તે) છે, પાળ્યું (કરેલા પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચકખાણ પારવું તે) છે, કીત્યું (ભોજનના સમયે પચ્ચખાણ પૂરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (નોંધ-મુદિસહિઅપચ્ચકખાણ પારવા આ સૂત્ર કંઠસ્થ કરવું ખૂબ જ જરૂરી છે.)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy