SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૩૦૩ અર્થ - દેશથી સંક્ષિપ્ત કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ - સચિત્તવલ્વવિયા...વગેરે ૧૪ નિયમોની ધારણા કરનારે સવારસાંજ આ પચ્ચખાણ લેવું.) ધારણા-અભિગ્રહ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે ધારણા અભિગ્ગહં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - અમુક સમયની મર્યાદા માટે ધારેલ અભિગ્રહનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ: વિગઈ ત્યાગ, દ્રવ્ય સંક્ષેપ, અનાચારોનો ત્યાગ, કર્મવશ રાત્રે ખાધા પછી ખાવાનો ત્યાગ, આદિની ધારણા કરી પચ્ચકખાણ લેવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.) મુક્રિસહિઅં પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે મુક્રિસહિઅં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સત્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ).
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy