SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩OO શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં, . અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચખાણ (ઉપવાસના આગલા દિવસે એકાસણ/આયંબિલ અને ઉપવાસના પારણાના દિવસે પણ એકાસણ/આયંબિલ કરનારે ચોથઅબ્બત્તૐ કહેવું) કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિષ્ઠાપનિકાકાર (વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (ચઉવિહાર-ઉપવાસનું પચ્ચખાણ પારવાનું હોતું નથી. સાંજે પ્રતિક્રમણદેવદર્શન વેળાએ સ્મરણ માટે પચ્ચખાણ ફરીવાર લેવાની વિધિ પ્રચલિત છે. એમાં પારિઠ્ઠાવણિયાગારેણં આગાર બોલવાનો નથી). છટ્ટ-અટ્ટમ-આદિતિવિહાર ઉપવાસ પચ્ચખાણ સૂત્રઅર્થ સાથે સૂરે ઉગ્ગએ છઠ્ઠભત્ત (બે ઉપવાસ)/ અટ્ટમભાં (ત્રણ ઉપવાસ) | દસમભi(ચાર ઉપવાસ) / બારસભd (પાંચ ઉપવાસ)/ ચઉદસભd (છ ઉપવાસ) / સોલસ ભત્ત (સાત ઉપવાસ) / અટ્ટારસ ભત્ત (આઠ ઉપવાસ) / પચ્ચકખાઇ (પચ્ચકખામિ)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy