________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૯૯
(આગલા દિવસે અને પારણાના દિવસે એકાસણ કરનારને ચોથ-અભત્તઢ કરવું) કરે છે (કરું છું. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિદ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પારિષ્ઠાનિકાકાર મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આચારઆગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
તેમાં પાણીનો આહાર એક પ્રહર (પોરિસિ) દોઢ પ્રહર (સાઢ પરિસિ)/ બે પ્રહર(પુરિમઢ)/ ત્રણ પ્રહર (અવઢ) મુક્રિસહિત પચ્ચકખાણનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર ( પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (મેઘવાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિમોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (બહુપડિપુના પોરિસિ” એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવીતે), આછ આગાર (છૂટ) રાખી ત્યાગ કરેછે (કરું છું).
અચિત્ત પાણીના છ આગાર લેપ (ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (ત્રણ ઉકાળાવાળુ નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (ચોખાફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપત પાણી હોય તે), સસિન્થ (દાણા સહિત અથવા આટાના કણ સહિત પાણી તે) અને અસિજ્જ (લુગડાથી ગળેલદાણા કે આટાના કણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
ચઉવિહાર-ઉપવાસ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ (ચોથ-અલ્પત્તરું) અલ્પત્તä
પચ્ચકખાઇ (પચ્ચખામિ)