SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ચઉવિહંપિ, આહાર અસણં, પાણં,ખાઈમ, સાઇમં, અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, સાગારિયા-ગારેણં, આઉંટણપસારેણં, ગુરુ-અબ્ભટ્ટાણેણં, પારિટ્ટા-વણિયાગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ સમાહિ વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ). ૨૯૩ અર્થ - સૂર્યોદયથી બે ઘડી, એક પ્રહર, દોઢ પ્રહર, બે પ્રહર કે ત્રણ પ્રહર સુધી મુક્રિસહિત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહા૨નો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે) નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (‘બહુપડિપુન્ના પોરિસિ' એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચક્ખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિઆગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહાસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), લેપાલેપ (ખરડાયેલી કડછી વગેરેને લૂંછીને વહોરાવેલો આહાર ગ્રહણ કરતાં મુનિને (આયંબિલ કે નીવિનો) ભંગ ન થાય તે), ગૃહસ્થસંસૃષ્ટ(શાક, માંડાદિક ઘી- તેલથી સંસ્કારિત કર્યાં હોય તો તે મુનિને(નીવિ આદિ) માં ભંગ ન થાય તે ) ઉત્સિપ્ત-વિવેક (શાક, રોટલી ઉપરથી પિંડ વિગઇને ગૃહસ્થે ઉપાડીને અલગ મૂકી હોય તો તે વહોરતાં મુનિને (નીવિ
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy