SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૬૯ ચાર કષાયરૂપ શત્રુનો નાશ કરનાર, દુઃખે જીતાય એવા કામદેવના બાણોને ભાંગનાર, રસવાળી (નીલી) રાયણના જેવા (શરીરના) વર્ણવાળા અને હાથીની જેવી ગતિ વાળા, ત્રણ ભુવનના સ્વામી એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જયવંતા વર્તો. (૧) જેના શરીરની કાંતિનો સમૂહ સ્નિગ્ધ છે, (જે) સર્પની ફેણ ઉપર રહેલ મણિરત્નનાં કિરણોવડે વ્યાપ્ત છે, વળી (જે) વિજળીની લતાના ચમકારાથી યુક્ત નવા મેઘની જેમ શોભે છે, તે શ્રી પાર્શ્વજિનેશ્વર (મારા) વાંછિતોને પૂર્ણ કરો. (૨) પ્રાકૃત ભાષામાંથી રૂપાંતર થયેલ અપભ્રંશ ભાષામાં શ્રી પાર્શ્વજિનનું ભાવવાહી ચૈત્યવંદન છે. ચર્તુવિધ શ્રી સંઘ “સંથારાપોરિસી' ભણાવતો હોય ત્યારે વડીલ આ સૂત્ર બોલે તે સિવાય “સામાયિક પારસી વખતે લોગસ્સ સૂત્ર પછી ખમાસમણ આપ્યા વગર આ સૂત્ર ચૈત્યવંદન સ્વરૂપે બોલાય છે. શ્રાવકોએ ખેસનો ઉપયોગ આ પૂર્ણ ચૈત્યવંદન (જય વીયરાય સૂત્રની પૂર્ણતા સુધી) થાય ત્યાં સુધી કરવો જોઈએ.' શ્રી તીર્થંકર પરમાત્માની તેમના ગુણો દ્વારા સ્તવના નમુત્થણે અરિહંતાણે ભગવંતાણે (૧) આઇગરાણે, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં (૨) પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસ વર પુંડરીયાણું, પુરિસ વર ગંધ હત્થાણે (૩) લોગુત્તમાશં, લોગ નાહાણે, લોગ હિઆણં, લોગ પદવાણં, લોગ પજ્જોઅ ગરાણું. (૪) અભય દયાણ, ચકખુ દયાણું, મગ્ન દયાણ, સરણ દયાણં, બોહિ દયાણ. (૫) ધમ્મ દયાણ, ધમ્મ દેસાણ, ઘમ્મ નાયગાણું, ઘમ્મ સારહીણ, ધમ્મ વર ચાઉસંત ચક્રવટ્ટીર્ણ. () અપ્પડિહય વરનાણ દંસણ ધરાણે, વિયટ્ટ છઉમાણે. ()
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy