SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૩૭ હે ક્ષમાશ્રમણ ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને (સર્વ સાધુઓને) વંદન કરવામાટે ઈચ્છું છું (અને) મસ્તકવડેવંદન કરું છું. (૪) (જમણા હાથની મુઠ્ઠી ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને માથું નમાવીને, વડીલ હોય તો તે, “અઢાઇજેસુ' કહે.). અઢીદ્વીપ માં રહેલ અઢાર હજાર શિલાંગ શીલ-ચારિત્રના ધરનાર સર્વ સાધુ ભગવંતોને વિવિધ ગુણ સ્મરણ કરી વંદના. અઠ્ઠાઈજેસુ દીવ સમુદેસુ, પનરસસુ, કમ્મ ભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રય હરણ ગુચ્છ પડિગ્નેહ ધારા (૧) પંચ મહ વ્રય ધારા, અઢારસ સહસ્સ સીલંગ ધારા, અખિયા યાર ચરિત્તા, તે સવૅ સિરસા મણસા મયૂએણ વંદામિ (૨) અઢીદ્વીપ અને બે સમુદ્ર સંબંધી પંદર કર્મભૂમિને વિષે જે કોઈ પણ સાધુ ભગવંતો રજોહરણ (ઓશો), ગુચ્છક (પાત્રાની ઝોળી ઉપર-નીચે બંધાય તે) અને પાત્રા (આદિ)ને ધારણ કરનારા. (૧) પાંચ મહાવ્રતને ધારણ કરનાર, અઢાર હજાર શીલના અંગને ધારણ કરનાર, તથા સંપૂર્ણ આચારરૂપ ચારિત્રવાળા, તે સર્વને હું મસ્તકથી અને મનથી વંદન કરું છું. (૨) આ સૂત્ર શ્રાવક-શ્રાવિકાગણે દેવસિઅ-રાઇઅપ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી ‘ભગવાનé' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કર્યા પછી બોલવાનું હોય છે. વડીલ ભાગ્યશાળી સૂત્ર ઉચ્ચારે (અન્યો સાંભળે) ત્યારે સર્વે જમણા હાથની હથેળી ચરવળા/કટાસણા ઉપર ચત્તી સ્થાપન કરે તેવી વિધિ છે. આહાર-પાણીને ધારણ કરવા સમર્થ કાષ્ઠના પાત્રાથી શોભતા અને ગોચરી વાપરવા છતાં કર્મનિર્જરા સાધતા અને અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન પરિગ્રહથી સર્વથા વિરામ પામવા માટે પાંચ મહાવ્રતને ધારણ કરતા અને જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારરૂપ પંચાચારનું સુવિશુદ્ધ પાલન કરવા સાથે શુદ્ધ નિર્વિકાર હૃદય વૃત્તિને અખંડિત ધરનારા એવા મહાત્માઓને વંદન કરવા.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy