________________
૨૦૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં,
નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો,
સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (1) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વમંગલોમાં પ્રથમ મંગલછે. (૧)
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્યઃ
(આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું) શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાયસાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ભુવનદેવતાની થાય
જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્યં સ્વાધ્યાય સંયમ રતાનામ્,
વિદધાતુ ભવનદેવી,
શિવ સદા સર્વ સાધૂનામ્ (૧) જ્ઞાનાદિ ગુણોવાળા અને હંમેશા સ્વાધ્યાય અને સંયમમાં લીન રહેલા સર્વ સાધુ મહાત્માઓને ભુવનદેવી હંમેશા શાંતિ આપો.