________________
૨૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ગિરનાર તીર્થના અધિપતિ નેમિનાથ પ્રભુની વંદના ઉજ્જિત સેલ સિહરે, દિખા નાણે નિસહિયા જલ્સ, તે ધમ્મ ચક્રવટ્ટિ, અરિટ્ટનેમિં નમંસામિ (૪)
અષ્ટાપદ, નંદિશ્વર તીર્થોની સ્તુતિ ચત્તારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસ
પરમટ્ટ નિષ્ક્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ (૫) જેઓએ બંધાયેલ કર્મનો નાશ કર્યો છે એવા, પોતાની મેળે બોધ પામેલા, સંસાર સમુદ્રનો પાર પામેલા, ગુણસ્થાનકના ક્રમે (અનુક્રમે) મોક્ષે પહોંચેલા (અને) લોકનાઅગ્રભાગે પહોંચેલા, એવા સર્વેસિદ્ધોનેહું નમસ્કાર કરું છું. (૧) જે દેવોના પણ દેવ છે અને જેઓને દેવતાઓ વિનયપૂર્વક હાથ જોડી નમસ્કાર કરે છે, તે ઇન્દ્રોથી પૂજાયેલ (એવા) શ્રી મહાવીરસ્વામીને હું મસ્તકથી વંદું છું . (૨) જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાનસ્વામીને (કરેલો) એક નમસ્કાર પણ પુરુષને કે સ્ત્રીને સંસારસમુદ્રથી તારે છે. (૩) ગિરનાર પર્વતના શિખર ઉપર જે (ભગવંત)નાદીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ (નિર્વાણ) કલ્યાણક થયા છે, તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૪). બાર, આઠ, દશ (અને) બે, એમ વંદના કરાયેલા, જેઓના કાર્યો પરમાર્થથી સિદ્ધ થયા છે એવા) સિદ્ધ થયેલા ચોવીશે તીર્થકરો મને સિદ્ધિ પદ આપો. (૫) (અહિંયા જે ભવનમાં સાધુ રહેતા હોય તે ભવનની અધિષ્ઠાયિકા દેવી તથા એ ભવનક્ષેત્રમાં જે દેવી-દેવતા રહેતા હોય તેઓની શાંતિ માટે બે કાઉસ્સગ્ગ
કરવાનાં છે. ચરવળાવાળા ઉભા થઈને કાઉસ્સગ્ન કરે.) વા જ ભુવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ
ભુવનદેવતાની શાંતિ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું.