________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૦૩
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણે, નીસિએણે,
ખાસિએણ, છીએણે,
જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમહિ અંગ સંચાલેહિં, સુહુમેહિ ખેલ સંચાલેહિ, સુહમેહિ દિક્ટિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિં આગારેહિ, અભગ્ગો,
અવિવાહિઓ, હુન્જ મે કાઉસ્સગ્ગો. (૩). જાવ અરિહંતાણં ભગવંતાણું, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫ – બગાસું આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટથવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂછ આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧- ઘૂંક-કફનો સંચાર, ૧૨ - દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
કાઉસ્સગ્નમાં ૪ ક્રિયા કરવામાં આવે છે. ૧) થયેલા અતિચારની વિશેષ-આલોચના અને નિંદા કરવામાં આવે છે. ૨) શાસ્ત્રો દ્વારા કહેવા પ્રાયશ્ચિત ગ્રહણ કરવામાં આવે ૩) ચિત્તની વિશેષ શુદ્ધિ કરવા માટે થાય છે. ૪) મનના ઉંડાણમાં છુપાયેલા શલ્યોને દૂર કરવા માટે થાય છે.