________________
૧૯૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
થોડા થાકવાળા આપને હે ભગવંત ! ઘણા શુભ ભાવથી દિવસ પસાર થયો છે ને ? (ગુરુ કહે- તહત્તિ =તેપ્રકારેજછે.) (૩) (શિષ્ય કહે) આપની સંયમયાત્રા બરાબર ચાલે છે ને ? વટ્ટએ = તમારી સંયમયાત્રા પણ બરાબર ચાલે છે ને ? ) (૪) (શિષ્ય કહે) આપનું શરીર ઇન્દ્રિયો અને મનથી પીડા પામતુ નથી ને ? (ગુરુ કહે– ‘એવં ’=એમ જ છે) (૫)
(ગુરૂ કહે – તુબ્મપિ
(શિષ્ય કહે) – હે ક્ષમાશ્રમણ ! મારો દિવસ સંબંધી (જે કંઈ) અપરાધ થયો હોય, તેની હું ક્ષમા માગું છું. (ગુરુ કહે ‘અહમપિ ખામેમિ તુમં – હું પણ તને ખમાવુંછું.) (s)
આવશ્યક ક્રિયા માટે (હું અવગ્રહની બહાર જાઉં છું) આપ ક્ષમાશ્રમણનું દિવસ સંબંધી થયેલી તેત્રીશમાંથી (કોઈપણ) આશાતના દ્વારા (લાગેલ દોષનું) પ્રતિક્રમણ કરું છું.(હે ક્ષમાશ્રમણ !) જે કંઇ મિથ્યાત્વથી, મન સંબંધી દુષ્કૃત્ય, વચન સંબંધી દુષ્કૃત્ય, અને શરીર સંબંધી દુષ્કૃત્ય રૂપ આશાતનાથી, ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી થયેલ આશાતનાથી સર્વ કાળ સંબંધી, સર્વ મિથ્યા ઉપચાર (=ફૂડ-કપટરૂપ) સંબંધી, સર્વ (અષ્ટપ્રવચન માતા રૂપ)ધર્મને ઓળંગવારૂપ આશાતનાથી, મે જે (કોઈ) અતિચાર કર્યો હોય, હે ક્ષમાશ્રમણ ! તે સંબંધી પાપોથી હું પાછો હટું છું, આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુસાક્ષીએ ગહ (વિશેષ નિંદા) કરું છું અને એવા પાપરૂપ મારા આત્માનો હું ત્યાગ કરું છું. (૭)
(પછી બંને હાથ જોડી મસ્તકે લગાવી નીચેનું સૂત્ર બોલવું.)
આવશ્યક ક્રિયામાં સર્વ જીવ રાશિ અને પૂજ્યોને ખમાવવા સાથે વિશિષ્ટ ક્રિયાનો સમાવેશ (કષાયોની ક્ષમા)
(ચરવળાવાળાઓએ ઉભા થઈ, હાથ જોડી વંદન મુદ્રા કરવી.)
આચાર્યોની ક્ષમા આયરિય ઉવજ્ઝાએ,
સીસે સાહમ્મિએ કુલ ગણે અ, જે મે કેઇ કસાયા,