SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (શુભ ભાવની પ્રાર્થના) ચિર સંચિય પાવ પણાસણીઇ, ભવ સય સહસ્ય મહણીએ, ચઉવીસ જિણ વિણિગ્ગય કહાઇ, વોલંતુ મે દિઅહા. (૪૬) મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુએં ચ ધમ્મો અ, સમ્મદ્દિટ્ટી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. (૪૭) લાંબા કાળથી એકઠાં કરાયેલ પાપોનો નાશ કરનારી, લાખો (અનંતા) ભવોનો નાશ કરનારી એવી ચોવીશે તીર્થંકરભગવંતોના શ્રીમુખેથી નિકળેલી એવી ધર્મકથામાં મારા દિવસો પસાર થાઓ. (૪૬) ૧- અરિહંત ભગવંત ૨- સિદ્ધ ભગવંત ૩- સાધુ ભગવંત ૪– શ્રુત (જ્ઞાન) ધર્મ અને ૫- ચારિત્રધર્મ : આ પાંચેય મને મંગલ ભૂત હો. (વળી) સમ્યગ્દષ્ટિદેવતાઓ (મને) સમાધિ અને સમક્તિ આપો. (૪૭) (કયા કારણે પ્રતિક્રમણ કરવું) પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું, અસદ્દહણે અ તહા, વિવરીઅ પરૂવણાએ અ. (૪૮) ૧- શાસ્ત્રમાં ના પાડેલ કામ કર્યું હોય ૨- શાસ્ત્રમાં કહેલ કરવા યોગ્ય શુભ કામ ન કર્યું હોય ૩– જિનેશ્વર પરમાત્માના વચનમાં વિશ્વાસ ન કર્યો હોય અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮) (સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના) ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી મે સવ્વ ભૂએસ, વે૨ મજ્ઞ ન કેણઇ. (૪૯) એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમાં, તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસં. (૫૦) હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવ છે, કોઈ જીવ સાથે મારે વૈર નથી. (૪૯)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy