SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧ ૬૭ વિંદણ વય સિફખા, ગારવેસુ સન્ના કસાય દંડેસુ, ગુત્તીસુ આ સમિઇસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫) ૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ર- વ્રત (બાર પ્રકારનાં, પ- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા= સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-૨સગારવ = ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ –ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) ૫ - સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧ – આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩-મૈથુન સંજ્ઞા અને ૪-પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) :- કષાય (જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ - માન ૩- માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧-મનદંડ, ર- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જ શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪-આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ- પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી જે અતિચાર લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૩૫) સમ્મદિટ્ટી જીવો, જઈ વિ હુ પાવં સમાયરે કિંચિ, અપ્પો સિ હોઈ બંધો, જેણ ન નિદ્ધધર્સ કુણઈ. (૩) સમ્યગદષ્ટિ (સમ્યકત્વી)જીવ જો કે કંઈ પાપ કરે, તો પણ તેને કર્મનો બંધ ઓછો (અલ્પ) થાય છે, કારણકે (ત) નિર્દયપણે (ક્યારેય) પાપકરતો નથી. (૧૬)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy