________________
૧૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસત્થા (છ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા ષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હું નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગર્તા (વિશેષનિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્તા કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર). ઇહલોએ, પરલોએ, જીવિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઈયારો, મા મજઝ હુજ મરણતે. (૩૩)
૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩- જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-) મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને પ- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એક પણ) મને મરણાંત સુધી નહોજો. (૩૩)
- (ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાએણ કાઈઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ, મણસા માણસિઅસ્સ, સવ્વસ્ટ વયાઈ આરસ્સ. (૩૪)
૧-અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨-અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)