________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જ્ઞાનના અતિચાર)
જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસન્થેહિં, રાગેણ વ દોસેણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪)
અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું. (૪)
૧૫૭
(સમ્યગ્ દર્શનના અતિચાર) આગમણે નિગ્ગમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અ નિઓગે, પડિક્કમે સંવચ્છરીએં સર્વાં. (૫)
શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
(સમ્યક્ત્વ ના અતિચાર)
સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઇઆરે, પડિક્કમે સંવચ્છરીઅં સર્વાં. (૬) છક્કાય સમારંભે, પયણે અ પયાવણે અ જે દોસા, અત્તઢા ય પરટ્ટા, ઉભયટ્ટા ચેવ તં નિંદે.
(6)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગંછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ ક૨વો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા ૫- જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યક્ત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, (બીજા