________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૪૯
- (ત્રણ યોગ વડે સર્વ વ્રતના અતિચાર) કાએણ કાઈઅસ્સ, પડિક્કમે વાઇઅસ્સ વાયાએ,
માણસા માણસિઅસ્સ, સબ્યસ્સ વયાઇ આરસ્સ. (૩૪) ૧-અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨-અશુભવચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભમનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
વંદણ વય સિખા, ગારવેસુ સન્ના કસાય દંડસુ, ગુત્તીસુ અ સમિઇસુ અ, જો આઈઆરો અ નિંદે. (૩૫)
૧- વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨- વ્રત (બાર પ્રકારનાં, પ- અણુવ્રત, ૩- ગુણવ્રત અને ૪ - શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બે પ્રકારની ગ્રહણ શિક્ષા=સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગારવ (ત્રણ પ્રકારના ૧-રસગારવ = ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ -ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શીતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) પ-સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ર- ભય સંજ્ઞા ૩- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) ઇ-કષાય (=જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨- માન ૩- માયા અને ૪-લોભ) ૭- દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારે છે. ૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧-મનગુપ્તિ - વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯- સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧-ઇર્યાસમિતિ, ર-ભાષાસમિતિ,