________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૩૯
વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગર્તા (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે, કારાવણે અ કરણે, પડિક્કમે સંવર્ચ્યુરીએ સળં. (૩)
બે પ્રકારના પરિગ્રહને વિષે ૧) સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨)અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે સંવત્સરી સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩).
(જ્ઞાનના અતિચાર) જંબદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસચૅહિં, રાગેણ વ દોસણ વ, તં નિંદે તં ચ ચરિવામિ. (૪)
અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્તા કરું છું. (૪)
(સમ્ય દર્શનના અતિચાર) આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અનિઓગે, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૫) શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં સંવત્સરી સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)