________________
૧૪)
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(સમ્યકત્વ ના અતિચાર) સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ, સમ્મત્તસ્સ ઈઆરે, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. () છકાય સમારંભે, પયણે આ પયાવણે અ જે દોસા,
અgટ્ટા ય પરઢા, ઉભયટ્ટો ચેવ તં નિંદે. (૭)
૧- શ્રી વિતરાગના વચનમાં ખોટી શંકા કરવી. ૨- અન્યમતની ઈચ્છા કરવી, ૩- સાધુ-સાધ્વીજી ભગવંતના મલ-મલીન શરીર-વસ્ત્ર દેખી દુર્ગછા કરવી અથવા ધર્મના ફળમાં સંદેહ કરવો, ૪- મિથ્યાત્વીની પ્રશંસા (વખાણ) કરવી તથા ૫-જુદા-જુદા વેષ ધારણ કરી ધર્મના બહાને ઠગનાર પાખંડીઓનો પરિચય કરવો, આ પાંચ પ્રકારના સમ્યક્ત્વવ્રતના અતિચાર છે, હું સંવત્સરી સંબંધી તે સર્વ અતિચારથી પાછો ફરું છું. (૬) પોતાને માટે, બીજાને માટે (અને) (તે) બંનેને માટે (જાતે) રાંધતાં, બીજા પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય ( પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૭)
(સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહ મણુવ્રયાણ, ગુણ વયાણં ચ તિહ મઇયારે, સિફખાણં ચ ચણિયું, પડિક્કમે સંવચ્છરીએ સવ્વ. (૮) પઢમે અણુવ્યસ્મિ, શૂલગ પાણાઈ વાય વિરઇઓ, આયરિય મuસત્યે, ઈત્ય પમાય પ્રસંગેણં. (૯)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર). વહ બંધ છવિચ્છેએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ, પઢમ વયસ્સઈઆરે, પડિક્કમે સંવચ્છરી સળં. (૧૦)