SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત (પછી ત્રણ વાર નવકાર ગણવા, સાધુ હોય તો તે ‘સંવચ્છરી સૂત્ર’ કહે અને ન હોય તો શ્રાવક ‘વંદિતુ સૂત્ર’ કહે) પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧) આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા – ગહ તથા આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. વંદિત્તુ સવ્વસિદ્ધ, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઇ આરમ્સ. (૧) સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છુંછું. (૧) (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ, સુહુમો અ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy