________________
૧૦૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- અશુભ કાયાથી લાગેલા અતિચારને શુભ કાયયોગથી ૨- અશુભ વચનથી લાગેલા અતિચારને શુભ-વચનયોગથી અને ૩- અશુભ મનથી લાગેલા અતિચાર ને શુભ-મનયોગથી, એમ સર્વવ્રતનાં અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. (૩૪)
(વંદન, વ્રત, શિક્ષા, ગૌરવ, સંજ્ઞા, કષાય, દંડા, સમિતિ, ગુપ્તિનાં અતિચાર વંદણ વય સિક્ખા, ગારવેસુ સન્ના કસાય દંડેસુ, ગુત્તીસુ અ સમિઇસુ અ, જો અઇઆરો અ તં નિંદે. (૩૫)
૧ – વંદન (બે પ્રકારનાં દેવવંદન, ગુરુવંદન) ૨-વ્રત (બાર પ્રકારનાં, ૫- અણુવ્રત, ૩– ગુણવ્રત અને ૪ – શિક્ષાવ્રત) ૩- શિક્ષા (બેપ્રકારની, ગ્રહણ શિક્ષા= સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવો તે અને આસેવન શિક્ષા = કર્તવ્યોનું પાલન કરવું તે) ૪-ગા૨વ (ત્રણપ્રકારના ૧-૨સગારવ=ઘી, દુધ, દહીં આદિ રસવાળા પદાર્થો મળતાં અભિમાન કરવું અને ન મળે તો તેની (લાલસા) ઈચ્છા કરવી તે, ૨ –ઋદ્ધિગારવ = ધન વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે અને ૩- શાતાગારવ = સુખ, આરોગ્ય વગેરે મળતાં અભિમાન અને ન મળે તો તેની ઈચ્છા કરવી તે) ૫- સંજ્ઞા (સંક્ષેપથી ચાર પ્રકારે છે. ૧- આહાર સંજ્ઞા ૨- ભય સંજ્ઞા ૩- મૈથુન સંજ્ઞા અને ૪- પરિગ્રહ સંજ્ઞા, વળી દશ, પંદર અને સોળ પ્રકારો પણ કહેલાં છે.) ૬- કષાય (=જેનાથી સંસાર વધે તે કષાય ચાર પ્રકારે છે. ૧-ક્રોધ ૨-માન ૩- માયા અને ૪-લોભ) ૭– દંડ (જે અશુભયોગથી આત્મા ધર્મભ્રષ્ટ થાય તે દંડ પણ ત્રણ પ્રકારેછે.૧- મનદંડ, ૨- વચનદંડ અને ૩- કાયદંડ) ૮- ગુપ્તિ (જે શુભ યોગથી આત્મા ધર્મોત્થાન પામે, તે ગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧- મનગુપ્તિ ૨- વચનગુપ્તિ અને ૩- કાયગુપ્તિ) અને ૯– સમિતિ (જેના પાલનથી સારી ગતિ નિશ્ચિત થાય છે, તે સમિતિ પાંચ પ્રકારે છે. ૧- ઇર્યાસમિતિ, ૨- ભાષાસમિતિ, ૩- એષણા સમિતિ, ૪- આદાન-ભંડમત્ત-નિક્ષેપણા સમિતિ અને પ-પારિષ્ઠાપનિકા સમિતિ) આ વિષે કરવા યોગ્ય ન કરવાથી અને નકરવાયોગ્ય કરવાથીજેઅતિચાર લાગ્યો હોય, તેની હુંનિંદા કરુંછું. (૩૫)