________________
૯૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧- આનયન પ્રયોગ = નિયમ બહારની ભૂમિમાંથી વસ્તુ મંગાવવી ૨-પ્રેષ્ય-પ્રયોગ = = હદ બહાર વસ્તુ મોકલવી ૩- શબ્દાનુપાત = ખોંખારો આદિ પ્રમુખ કરી બોલાવવાથી ૪- રૂપાનુપાત = રૂપ દેખાડવાથી અને ૫– પુદ્ગલ પ્રક્ષેપ = કાંકરો આદિ નાંખી પોતાપણું જણાવવાથી. આ પ્રમાણે બીજા દેશાવગાસિક ગુણવ્રતના પાંચ અતિચારોમાંથી મને કોઈ દોષ લાગ્યો હોય, તેની હું નિંદા કરું છું. (૨)
(પૌષધોપવાસ વ્રત વિશેના અતિચાર)
સંથારુચ્ચાર વિહિ, પમાય તહ ચેવ ભોયણા ભોએ, પોસહ વિહિ વિવરીએ, તઇએ સિક્ખાવએ નિંદે. (૨૯)
સંથારા સંબંધી વિધિમાં ૧- પડિલેહણ-પ્રમાર્જન ન ક૨વારૂપ ૨- પડિલેહણ-પ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ, પ્રમાદ કરવાથી, તેમજ લઘુનીતિ (પેશાબ) અને વડીનીતિ (ઝાડો) સંબંધી વિધિમાં (પરઠવવાની ભૂમિને) ૩- પડિલેહણ-પ્રમાર્જન ન કરવારૂપ તેમજ ૪- પડિલેહણપ્રમાર્જન જેમ-તેમ કરવારૂપ પ્રમાદ કરવાથી અને ૫- ભોજનની ચિંતા ક૨વાથી, આ રીતે પૌષધ વિધિ વિપરીત કરવાથી ત્રીજા (પૌષધોપવાસ) શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોની હું નિંદા કરું છું. (૨૯)
(અતિથિ સંવિભાગના અતિચાર)
સચ્ચિત્તે નિક્ક્ષિવણે, પિહિણે વવએસ મચ્છરે ચેવ, કાલાઇક્કમ દાણે, ચઉત્ને સિક્ખાવએ નિંદે. (૩૦) સુહિએસુ અ દુહિએસુ અ, જા મે અસંજએસુ અણુકંપા, રાગેણ વ દોસેણ વ, તેં નિંદે તેં ચ ગરિહામિ. (૩૧) સાહૂસુ સંવિભાગો, ન કઓ તવ ચરણ કરણ જુત્તેસુ, સંતેફાસુઅ દાણે, તં નિંદે તં ચ ગરિહામિ. (૩૨)
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપ૨ સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩- ફેરફાર બોલવાથી