________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ચોરેલી વસ્તુ લીધી હોય, ૨- ચોરને ચોરી કરવા પ્રેરણા કરી હોય, ૩– મૂળ વસ્તુના બદલે ભળતી વસ્તુ આપી હોય, ૪- દાણચોરી વગેરે રાજવિરૂદ્ધ આચરણ કર્યું હોય અને ૫- ખોટા તોલ અને ખોટા માપથી વ્યાપાર કર્યો હોય, તે પાંચ પ્રકારના ત્રીજા અણુવ્રતનાં અતિચારમાં દિવસ સંબંધી સર્વેને હું પડિક્કમું છું. (૧૩,૧૪)
(મૈથુનના અતિચાર)
ચઉત્શે અણુવ્વયમ્મિ, નિસ્યં પર દાર ગમણ વિરઇઓ, આયરિય મપ્પસત્શે, ઇત્થ પમાય પસંગેણં. (૧૫) અપરિગ્ગહિઆ ઇત્તર, અણંગ વિવાહ તિવ્ર અણુરાગે, ચઉત્થ વયસ્સઇઆરે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૧૬)
૯૩
=
ચોથા અણુવ્રતમાં સદાની (હંમેશા) પારકી સ્ત્રી અથવા પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથે ગમન કરવાની વિરતિને આશ્રયીને આચરણ કર્યું હોય. આમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- અપરિગૃહીતાગમન કોઈએ પણ જે સ્ત્રીને ગ્રહણ નથી કરી એવી કુંવારી કન્યા અથવાવિધવા સ્ત્રી આદિ સાથે મૈથુન સેવન કરવું તે, ૨- ઇત્વર- પરિગૃહિતાગમન=અમુક દિવસ સુધી બીજાએ રાખેલી વેશ્યા સાથે મૈથુન સેવન કરવું તે, (સ્વદારા સંતોષના નિયમવાળાને આ બંને અતિચારો અનાચાર તરીકે સમજવા),
૩- અનંગ ક્રીડા= પારકી સ્ત્રીઓના અંગોપાંગ વિકાર દષ્ટિથી જોવા તથા સૃષ્ટિ વિરુદ્ધ કામચેષ્ટા કરવી તે, ૪- પરિવવાહકરણ= પોતાના પુત્રાદિ સિવાય પારકા વિવાહ પ્રમુખ કરવા તે અને ૫) કામભોગ-તીવ્રઅભિલાષા= કામ-ભોગની તીવ્ર અભિલાષા કરવી તે (રૂપ) ચોથા અણુ વ્રતના અતિચારો છે. (તેમાં) દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૧૫,૧૬)
(પરિગ્રહના અતિચાર)
ઈત્તો અણુવ્વએ પંચમમ્મિ, આયરિય મમ્પસત્યમ્મિ, પરિમાણ પરિચ્છેએ, ઇત્થ પમાય પ્પસંગેણં. (૧૭)