SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોમાંથી દિવસ સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હુંપ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧- જીવનો વધ, ૨બંધન, ૩- અવયવ છેદન, ૪- અતિભાર (આરોપણ) અને ૫) અન્ન-જળ અટકાવવારૂપ પહેલા અણુ વ્રતના અતિચારો છે, (તેમાં) દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારો નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦) (મૃષાવાદના અતિચાર) બીએ અણુવ્વયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ, આયરિય મપ્પસન્થે, ઇત્થ પમાય પસંગેણં. (૧૧) સહસા રહસ્ય દારે, મોસુવએસે અ ફૂડલેહે અ બીય વયમ્સઇઆરે, પડિક્કમે દેસિઅં સવ્વ (૧૨) બીજા અણુવ્રતમાં સ્કૂલ (અતિશય મોટા) રીતે અસત્ય વચનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે. એમાં પ્રમાદના પ્રસંગથી, અપ્રશસ્ત ભાવથી ૧વગર વિચાર્યે કોઈના ઉપર ખોટી (જુદું) આળ મૂકવી, ૨- ખાનગી વાત બહાર પાડવી, ૩- પોતાની સ્ત્રી સંબંધી ગુપ્ત વાત બીજાને કહી દેવી, ૪– ખોટો (જુઠ્ઠો) ઉપદેશ આપવો અને પ– જુઠ્ઠા લેખ અથવા દસ્તાવેજ લખવા રૂપ બીજા વ્રતના અતિચારો છે. તેમાં દિવસ સંબંધી સર્વઅતિચારોનુંહુંપ્રતિક્રમણ કરુંછું. (૧૧,૧૨) (અદત્તાદાનના અતિચાર) તઇએ અણુવ્વયમ્મિ, શૂલગ પર દX હરણ વિરઇઓ, આયરિય મમ્પસન્થે, ઇન્થ પમાય પસંગેણં. (૧૩) તેના હડપ્પઓગે, તપ્પડિરૂવે વિરુદ્ધગમણે અ, કૂંડતુલ કૂડમાણે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૧૪) ત્રીજા અણુવ્રતના સ્થૂળ રીતે બીજાના દ્રવ્યના હરણથી વિરતિને આશ્રયીને આચરણ થયું હોય, તેમાં પ્રમાદના વશથી, અપ્રશસ્ત ભાવથી ૧- ચોરે
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy