SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યા હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગોં (વિશેષ નિંદા) કરું છું. (૨) ८० (પરિગ્રહના અતિચાર) દુવિષે પરિગ્ગહંમિ, સાવર્જ઼ બહુવિહે અ આરંભે, કારાવણે અ કરણે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૩) બે પ્રકારના પરિગ્રહને વિષે – ૧–સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે દિવસ સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩) (જ્ઞાનના અતિચાર) જં બદ્ધ મિંદિ એ હિં, ચઉહિં કસાએહિં અપ્પસન્થેહિં, રાગેણ વ દોસેણ વ, તં નિંદે તં ચ ગરિહામિ. (૪) અપ્રશસ્ત (અશુભ) ભાવથી પ્રવર્તેલ પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયો (ક્રોધ, માન, માયા અને લોભ) રાગ અથવા દ્વેષથી જે (કર્મ) બાંધ્યું હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગર્હા કરું છું. (૪) (સમ્યગ્ દર્શનના અતિચાર) આગમણે નિગ્ગમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓગે અ નિઓગે, પડિક્કમે દેસિઅં સર્વાં. (૫) શૂન્ય ચિત્તથી, રાજાદિકના આગ્રહથી અને નોકરી વગેરેની પરાધીનતાથી, મિથ્યાદષ્ટિઓના સ્થાન આદિમાં આવવામાં, નીકળવામાં, ઉભા રહેવામાં, તેમજ ફરવામાં દિવસ સંબંધી લાગેલા સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. (૫)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy