SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૮૯ હું પ્રતિક્રમણ કરવાને ઇચ્છું છું – કારણકે મેં દિવસ સંબંધી કાયિક, વાચિક, માનસિક ઉસૂત્રરૂપ અને ઉન્માર્ગરૂપ, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણ, દુર્બાન અને દુષ્ટ ચિંતનરૂપ, અનાચારરૂપ, અનિચ્છિનીય આચરણરૂપ અને શ્રાવકને અણછાજતા આચરણરૂપ જે અતિચાર કર્યા હોય, તથા જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, શ્રુતજ્ઞાનની આરાધનામાં અને સામાયિક ધર્મની આરાધનામાં, તથા ત્રણ ગુપ્તિનું પાલન કરવામાં અને ચાર કષાયોના ત્યાગ સંબંધી, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે ખંડિત કર્યું હોય, જે વિરાધ્યું હોય, તે સંબંધી માર્દુષ્કૃત્યમિથ્યા થાઓ. (આ સૂત્ર શ્રાવકનું છે. આમાં મુખ્ય બાર વ્રતધારી તથા વ્રત વિનાનાં શ્રાવક-શ્રાવિકાનાં જીવન વહેવારો કેવા હોવા જોઈએ, પંચાચારનાં આચરણમાં લાગેલાં દોષો, આ બધાયનું નિંદા-ગહ દ્વારા પ્રતિક્રમણ કરવાનું બતાવ્યું છે.) આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા-ગ તથા આત્માને પવિત્ર કરે તેવી ભાવનાઓ છે. વંદિતુ સવ્યસિદ્ધ, જ આ ધમાયરિએ એ સવ્વસાહૂ અ, ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગ ધમ્માઈ આરસ્સ. (૧) સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધ ભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વ સાધુ ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપપાપ) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું. (૧) (સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ, સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy