SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છું છું. જે મેં દિવસ સંબંધી મનથી, વચનથી અને કાયાથી (અતિચાર કર્યા હોય). શાસ્ત્ર વિરૂદ્ધ, સન્માર્ગ વિરૂદ્ધ, આચાર વિરૂદ્ધ હોય), ન કરવા યોગ્ય (હોય), આર્નરૌદ્રધ્યાન સ્વરૂપદુર્ગાનરૂપ, અશુભચિંતવનરૂપ, વ્રતાદિના ભંગ કરવા સ્વરૂપ અનાચારરૂપ, (જે) ઈચ્છવા યોગ્ય ન હોય (અને) શ્રાવકને ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી (તેવો અતિચાર લાગવાથી) જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ) ને વિષે, સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે અને ત્રણ ગુપ્તિ સંબંધી, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી તેમજ) પાંચ અણુવ્રત સંબંધી, ત્રણ ગુણવ્રત સંબંધી (અને) ચાર શિક્ષાવ્રત સંબંધી, (એ) બાર પ્રકારના શ્રાવક ધર્મ સંબંધી જે દેશ થકી ભાંગવા સ્વરૂપ ખંડિત કર્યું હોય અને જે સર્વ થકી વિરાધના કરવા સ્વરૂપ વિરાવ્યું હોય, તે મારાં પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ) (દશ = કાંઈક અંશે, સર્વ=સર્વથા) આ સૂત્ર પ્રતિક્રમણ પ્રાયશ્ચિત સ્વરૂપનું સૂત્ર છે. પરંતુ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત સ્વરૂપે, પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવું હોય તો તેની પૂર્વે આ સૂત્ર આવે છે. અહિં કાઉસ્સગ્નમાં સ્થિર થવાને મિચ્છામિ દુક્કડં દેવું. જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં. - વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ, નિશ્થાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્ગ. (1) (જવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગઃકાયાનો ત્યાગ કાયોત્સર્ગઃ કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રીઅન્નત્યસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy