________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કાઉસ્સગ્નના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્થ ઊસસિએણે, નીસિએણે,
ખાસિએણં, છીએણં, હું જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (1)
સુહુમેહિ અંગ સંચાલેહિં, સુહુમહિ ખેલ સંચાલેહિં, સુહુમહિ દિઢિ સંચાલેહિં. (૨)
એવભાઈ એહિ આગારેહિ, અભગ્ગો,
અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણે, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અધ્વાણું, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ – ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, ૬ - ઓડકાર આવવાથી, ૭-વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯- પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦- સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧- ઘૂંક-કફનો સંચાર૧૨ – દષ્ટિનો સંચાર થવાથી. (૨) આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાં સુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે, વોસિરાવું છું. (૫)
૧) પ્રતિક્રમણની શરૂઆતમાં સામાયિક શા માટે લેવામાં આવે છે? ઉત્તર:વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને ફળદાતા થાય છે. તેથી પ્રથમ સામાયિક લેવું. ૨) ગુરૂ સમક્ષ પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર : ગુરૂ સાક્ષીએ કરેલું અનુષ્ઠાન વધારે દઢ થાય છે. ગુરૂના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. જગતમાં સસાક્ષિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. ન્યાય સ્થાનોમાં પણ સક્ષાક્ષિક બાબતોની સિદ્ધિ થાય છે.