SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ • લેખકની હૃદયોર્મિ • અનંત કરુણાનિધાન ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર મહારાજાના પટ્ટધર પરમ આત્મજ્ઞાની સુધર્મસ્વામી ગણધર ભગવંતની વાણીરૂપી પાણી દ્વારા પોતાની તૃષાને શમાવી ફુર્તિથી મોક્ષમાર્ગે આગેકૂચ કરી રહેલા પવિત્ર સાધુ-સાધ્વીજી ભગવંતો જિનશાસનની શાન છે. આગમ અને આગમોત્તરકાલીન શાસ્ત્રના અભ્યાસમાં ગળાડૂબ સંયમીઓ ઠેર-ઠેર અનુભવની હરણફાળ ભરવાનું અમોઘ સામર્થ્ય પ્રાપ્ત કરી રહ્યા છે. અનેક ગુરુ ભગવંતોની વાચના પુસ્તકરૂપે પણ પ્રગટ થતી રહે છે એ આપણા શ્રમણ સંઘનું અદ્વિતીય સૌભાગ્ય અને સદ્ભાગ્ય છે. આ પૂર્વે જુદા-જુદા સમયે સંયમીઓને અપાયેલી વાચના અને સંયમીઓને લખાયેલ પત્રોનું સંકલન કરીને “સંયમીના કાનમાં, સંયમીના દિલમાં, સંયમીના સપનામાં, સંયમીના રોમેરોમમાં અને “સંયમીના વ્યવહારમાં' - નામથી પાંચ લઘુ પુસ્તિકાઓ દિવ્ય દર્શન ટ્રસ્ટ મારફત પ્રકાશિત થયેલ હતી. પરિમાર્જન અને પરિવર્ધન કરીને તે જ પાંચેય પુસ્તિકાઓનો પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ કરવામાં આવેલ છે. સંયમીઓની લાગણીભરી માગણીને લક્ષમાં રાખીને પ્રકાશિત કરવમાં આવતી આ કૃતિ સંયમીઓની આકૃતિને આગમિક કલાકૃતિરૂપે પરિણામાવશે અને અનેક ભવ્યાત્માઓના જીવનમાં ચમત્કૃતિનું સર્જન કરાવશે એવી ભવ્ય ભાવનાપૂર્વક સંયમીઓના ચરણકમલમાં કોટિશઃ નતમસ્તકે નમસ્કૃતિ. લી. સ્વ.ગચ્છાધિપતિશ્રી ભુવનભાનુસૂરીશ્વરશિષ્યપંન્યાસપ્રવર વિશ્વકલ્યાણવિજયશિષ્યાણ પંન્યાસ યશોવિજય ગણી - —-- ન E E
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy