SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિશેખર એવા મંગળતિ મહાત્માઓ સ્થળે સ્થળે સાંપડતા નથી. તેઓ તે ચિંતામણિ રત્નની જેમ દુરાપ હેય છે. नगे नगे न माणिक्यं । मौक्तिकं न गजे गजे ॥ लाधवो नहि सर्वत्र । चन्दनं न वने वने ॥ એ શ્લેક યથાર્થ વાદને જ ભજે છે. ભારત વર્ષની પૂર્ણ પુણ્યથી પરમાથી અનેક મહાત્માઓ પૂર્વકાલમાં થયા છે. પરેપકારી જીવન જીવી હજારેને તે પરેપકારના પરમપાકૅ પઠાવી ગયા છે. સરેજની જેમ સંસારથી વિરક્ત રહી સંસારમાં રહેવા છતાં ગૃહસ્થાશ્રમીઓને પરેપકારની પરંપરાનાં ભેટણ પહોંચાડી રહ્યા છે. કહ્યું છે કે – संसारे निवसन् स्वार्थसजः कजलवेश्मनि, लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो न लिप्यते ॥ કાજળથી ભરેલા સંસાર ઘરમાં રહેવા છતાં જ્ઞાનસિદ્ધ મહાત્માઓ કાજળને લેપથી કલંકિત બનતા નથી. પરંતુ સ્વાર્થમાં તત્પર સંસારી પ્રેમીજને તેમાં મુગ્ધ બની લેપાય છે. નિઃસ્પૃહી મહાત્માઓ પિતાના જીવનમાં મેળવેલી અને ખીલવેલી અખૂટ શક્તિઓ, કળાઓ અને વિદ્યાઓ અન્યના ઉપકાર માટે વ્યય કરતા પાછી પાની કરતા નથી. ભવ્ય જીને અમૃતસમ વાણીથી ધર્મ ભાવનામાં તરબલ બનાવતા બૃહસ્પતિ સમવિશદ બુદ્ધિ અને તાર્કિક શક્તિદ્વારાએ અનેક કુવાદીઓના કુમતને પરાસ્ત કરતા શ્રીમદ્ કમળવિજયજી મહારાજ માણસા પધાર્યા.. પ્રિય વાંચક વર્ગ ક્ષણભર વાંચન વેગને અટકા. પ્રસંગે પાત શ્રીમદ્ વિજયકમળસૂરીશ્વરજી મહારાજ કોણ હતા તેઓએ નિર્દોષ જીવન જીવી કોની પાટને દીપાવી વિગેરે શંકાઓને તમારા ચિત્તમાં ઉપસ્થિત ન કરે. કારણ કે તેમનું પ્રસંગચિત વર્ણન આલેખવા પ્રેરાઈયે છીએ.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy