SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] કવિકુલકિરીટ હમેંશ ચરિત્રવિભુના ચાલતા પ્રવચનમાં સૌ કોઈ હર્ષથી ભાગ લેવા લાગ્યા. બે ચાર જાહેર ભાષણ પણ આપવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ભીખાભાઈ– છાણીના રહીશ ધર્મપ્રેમી શા. ભીખાભાઈ શીવલાલ પિતાની સેળ વર્ષની ઉગતીવયે ચરિત્રનેતાની છાયામાં સંયમપ્રહણ કરવાની કામનાથી આવી પહોંચ્યા હતા પિતાની દશ અગીયાર વર્ષની ઉમ્મરથી તેઓ વૈરાગી બનેલા હતા. કેટલીક વખત દીક્ષા ગ્રહણ કરવા ભાગી પણ ગયા હતા. પરંતુ તેઓની માતા મણીબેન અને પિતા શિવલાલભાઈને એકને એક લાડકવા પુત્ર હોવાથી સંયમ લેતા સ્નેહથી તેમને અટકાવતા હતા, જેકે શ્રાવિકા મણીબેન ધર્મને ઉચ્ચતમ માની ધર્મપરાયણ જીવન વીતાવતા. શારીરિક નિબળતા હોવા છતાં તપશ્ચર્યા કરવામાં તત્પર રહેતા સંયમ માટે તેમના હૃદયમાં બહુ માન હતું. એમના પિતા શીવલાલભાઈ પણ દીક્ષાભિલાષિ હતા અને તે માટે તેમણે વિષયને ત્યાગ કર્યો હતે. ટુંકમાં ભીખાભાઈનું સઘળું કુટુંબ ધર્મરાગી હતું. પણ મેહનીય કર્મની વિલક્ષણતા કેઈ અજબજ છે. સંયમને ઉચ્ચતમ માનવા છતાંય પિતાને બાળવયને એકને એક પુત્ર સંયમ લે તે ન સહી શકાય ખરેખર એ મેહનાજ ચાળા છે ને? સંયમની ભાવનામાં ચાર પાંચ વર્ષ વીતી ગયા એક બાજુ માતપિતાઓ લગ્નની જવા તૈયાર હતા. એટલામાં ભીખાભાઈ એકદમ પિતાના મિત્ર સાથે પાટણ મુકામે આવી પહોંચ્યા. તેમણે આવી પિતાની ભાવના આચાર્યશ્રી પાસે વ્યક્ત કરી. આચાર્યશ્રી સઘળી વાતથી વાકેફદાર બન્યા પછી તરતજ અષાડ સુદ ૧૧ ના દિને તેમને દીક્ષા સમર્પણ કરવામાં આવી હતી. તેમનું નામ મુનિશ્રી ભદ્રંકરવિજયજી રાખી તેમના સંસારી મામા મુનિરાજ શ્રીમદ્ ભુવનવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. આ દીક્ષાની ખબર પડતાં તેમના કાકા છગનલાલ એકદમ પાટણ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy