SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ રિશેખર મમત્વ આદિ નિદા નિશાચરેને નસાડવા ભાવતિને અરૂણોદય એક અસાધારણ ઉપાય છે, પરતુત પ્રસ્તાવમાં ચરિત્ર નેતાનું ગુજરમાં સમવતરણ એજ ઉન્નતિના શિખરે ચઢાવવામાં પ્રેરક એ ભાવોન્નતિને જવલંત તેજ ભર્યો અરૂણોદય છે. એ અતુલ ભાન્નતિને અરૂણોદય જનતાના હદયરૂપી પૃથ્વી પટ પર પ્રસરતાં પ્રસરતાં જોતજોતામાં ભવિઝવ રૂપી કમળ પ્રબોધ પામે છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, જપ, યમ, નિયમ આદિ કુસુમકદ મધુરી-સુવાસને ફેલાવતાં વધુ વધુ વિકસ્વર થતાં જાય છે. ચરિત્ર-વિભુને જીવન વિકાશ, અને કેની અનેકધા દુવિધાને રસાતલ પહોંચાડી મેહપાશના વાસથી ખસેડી કર્મરાજના ત્રાસના નાશને ઉપાય બતાવી, ખાસ અનંત સુખના નિવાસના માર્ગ વીધી ઉપકારની પરાકાષ્ટાએ પહોંચનાર હેય છે. આ ચરિત્ર–વિભુને જન્મ, એ ભાન્નતિના અરૂણદયની ઉપમાને વરે એ સુગુણ—સંગી સુજ્ઞજને ઘટિત ઘટના જ માને ! કૃત પુણ્ય કુટુંબ તેજ કુટુંબ ઉત્તમ મનાય છે, તેજ કુટુંબ પૂજનીક મનાય છે, તેજ કુટુંબ વંઘ અને અનુકરણીય મનાય છે કે જે કુટુંબમાં આ જન્મથીજ ધર્મના દમૂલ સુસંસ્કારનું સિંચન નિત્ય થતું હેય, દુનિયામાં બહોળું કુટુંબ હેય પણ નીતિ અને ધર્મના સંસ્કારથી રહિત હોય તે તેવા કુટુંબની ગણત્રી કૃત પુણ્યવંત કુટુંબમાં થતી નથી. જેવી રીતે ઉંડા સાગરમાં ડૂબકી મારનાર વ્યકિતના હાથમાં છીપે તે છેક બંધ આવે છે પરંતુ ઉંચાવળનાં (fine quality) પાણીદાર મતી જે જે છીપમાં હોય તે તે છીપેજ સાગર સફરની સાફલ્યતાને સમર્પે છે, તેમ અનાદિના કાળ પ્રવાહમાં અસંખ્ય કુટુંબે થયા, થાય છે અને થશે. પરંતુ તેજ ઈતિહાસના પાને સ્વર્ણાક્ષરે અંકાવાના કૃતપુણ્ય તરીકે મનાવાના, કે જે કુટુંબમાં સદ્ગણે,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy