SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, નવકારસી વિગેરે અનુકાનેથી સે કેસ દૂર ભાગનારા કેટલાક માત્ર પૂર્વના પુણ્યદયથી ભૂલેચુકે જૈનકુળમાં જન્મી ગયેલા નામ ધારી જૈનેએ પત્રકારની નીતિને નેવલે મૂકનાર કેટલાક પત્રમાં યદા તદા લખી છાપાના કેલ કાળા કરી ઘણું ભેળા શ્રાવકેની શ્રદ્ધા ઉપર કાળા કુચડે ફેરવ્યો. એટલું જ નહિ પણ તેઓએ શાસ્ત્રસિદ્ધ બાળ દીક્ષાને રોકવા માટે ઠેઠ ગાયકવાડ સરકારના કાન પણ ભંભેર્યા. અને આજકાલ અમલદારને મેટો વર્ગ માત્ર પશ્ચિમાત્ય કેળવણીના સંસ્કારવાળે આર્યવિદ્યાના અભાવવાળો, ધર્મશાસ્ત્રના પઠન પાઠન વગરન અને આત્મ તત્વથી તદન અજ્ઞાત હાઈ બાળદીક્ષાને પ્રતિરોધક કાયદે ઠેકી બેસાડે. દીક્ષા એટલે કઈ પ્રાણીને મારે નહિ, મરાવે નહિ અને મારતાની અનુમોદના કરવી નહિ, જૂઠું બોલવું નહિ, બોલાવવું નહિ અને બેલતાને સાથે માન નહિ. ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અને કરતાને ભલે જાણ નહિ, મિથુન સેવવું નહિ, સેવરાવવું નહિ અને સેવતાને ભલે જાણો નહિ, એક પાઈ પણ રાખવી નહિ રખાવવી નહિ અને રાખનારાને ભલે જાણો નહિ, રાત્રે ખાવું નહિ ખવડાવવું નહિ અને ખાતાને ભલે જાણો નહિ. આ છએ પ્રતિજ્ઞાઓ જેમાં સ્વીકારાતી હોય તેનું જ નામ દીક્ષા છે. આવી પ્રતિજ્ઞાઓ જે કેઈ નાની ઉમ્મરમાં લેશે અને જે કઈ આ પ્રતિજ્ઞાઓ આપશે તેઓને એક હજાર રૂપિઆને દંડ કરવામાં આવશે. ઉપરની પ્રતિજ્ઞાઓને જે ભંગ કરે તેને તે દંડ થવાનું સાંભળ્યું છે પણ ઉપરોક્ત ધર્મ પ્રતિજ્ઞાઓ જે કઈ લે તેને પણ દંડ થાય એ તે આ કાળકેર વર્તાવનાર હે કલીયુગ તારા અજબ પ્રભાવનીજ બલિહારી છે.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy