SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] કવિકુલકિરીટ માનવ પ્રકૃતિ એવી છે કે ઉચ્ચ સ્થાન ઉપર આરૂઢ થવા કુદરતેજ પ્રેરાય છે; પરંતુ ઉચ્ચ સ્થાનની મહત્તા અને જોખમદારી સમજદાર પિતે તે રથાનથી અલગે રહી બને તેટલી સેવા બજાવવા ઈચ્છે છે. કેવળ સ્વમાનના પૂજારીએ પિતાની સ્તવન અને ગૌરવની આસુરી ભાવના વમળમાં ગુંચવાઈ પિતાનું જીવન તે તે અભિલાષાના અગ્નિકુંડમાં હમે છે. નિસ્પૃહી મહાત્માએ તે ગુણગ્રાહી બની ગુણ પ્રાપ્તિની ઝંખનામાં જીવન ઉજજવલ અને આદર્શ બનાવે છે. સ્પૃહીજને સ્વમહત્તા કે ગૌરવખાતર ધમપછાડા કરી અન્યના ગુણેકને અપકર્ષ દર્શાવી પિતેજ સુગુણી છે. એ ડોળ કરે છે યોગીશ્વરે તે પર ગુણેની વૃદ્ધિમાં પિતાની ઉન્નતિજ માને છે. ત્યાગે ઉસકી આગે એ કહેવત મુજબ જેને જે નથી જોઈતું તે અનાયાસે આવી મળે છે. વફાદારીની દુલભતા– પિતાના શિષ્ય પિતાની પાટને શોભાવે તેવા વિદ્વાન અને ચારિત્રપાત્ર હેય તે તેઓને યોગ્ય પદથી વિભૂષિત કરવા એ ઉદાર અને અવસર ગુરૂવર્યોનું પરમ કર્તવ્ય છે. પરંપરાગત આદરણીય પ્રથા છે. જૈનશાસન તંભ કહે, જૈનશાસનના રખેવાલ કહે કે જૈનધર્મના દ્યોતક કહે છે તે વર્તમાનકાળમાં આચાર્ય ભગવંતે મનાય છે. આ મહત્વ પૂર્ણ પદ ગ્રહણ કરવામાં જેટલી દુષ્કરતા નથી તેનાથી કઇગણી એ પદને વફાદાર રહી એને દીપાવવામાં છે. યોગ્યતાહીને આ મહાન પદને લઈને શાસનની ઉડ્ડાહના-અપભ્રાજના ફેલાવી સ્વયં દુગતિના ભાગી થઈ ભેળા ભક્તોને પણ ભાગી બનાવે છે. જ્યારે સ્વપર સિદ્ધાંતના પારંગત, પિતાના ગ૭માં સારણું વારણા અને ચેયણા દારા પિતાના શિષ્યને સંયમની આરાધનામાં તત્પર રાખવાવાલા, શાસન ઉપર આવતી આફતને પોતાની શક્તિ ગેપવ્યા વિના દૂર કરનારા, અધર્મના પ્રચાર વખતે પિતાના માનને ખાતર બેટી શાંતિને નહિ પકડનારાઓ આ પદને દીપાવી શકે છે. આથી,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy