SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૨૪૩ गुणाः सर्वत्र पूज्यन्ते आटोपैः किं प्रयोजनम् । विक्रियन्ते न घण्टाभिः गावः क्षीरविवर्जिताः ॥१॥ સર્વત્ર ગુણે પૂજાય છે. આટોપનું શું પ્રયોજન છે. દુધવગરની ગાય માત્ર ઘટાથી વેચાતી નથી. જેઓ ગુણ ગરિષ્ટ છે. જેઓ પરેપકારમાં પરાયણ છે. જેઓ શાસનના હજારે કાર્યો પ્રતિકલતાને વિપુલ સંપત્તિઓ માની કરવા સમર્થ છે. તેઓને પદવી મળે તેયે શું અને ન મલે તેય શું? મહા પુરૂષને સ્વમાન ગૌરવની આકાંક્ષા હેતી નથી. પરંતુ શાસન પ્રભાવના કરવાની તે પૂજ્ય પુરૂષના હૃદયમાં લાગણું હોય છે. વિચારની મક્કમતા– ઉભય મહાત્માઓને આચાર્યપદ અર્પણ કરવું તે મણીઓને શાલીઢ કરવા જેવું હતું. ગુણ જનેને સ્વગુણ પ્રકાશવાની નોબત બજાવવી પડતી નથી. નહિ પરિમો પશેન વિમાચા મારા સમ આ કસ્તુરીની ગંધ છે એમ સેગનખાઈ એની ગંધ જાહેર કરવી પડતી નથી. તેની સૌરભજ એવી છે કે વિના કહે પ્રસરે તેમ ગુણવાનના ગુણ કુસુમની સૌરભ આપોઆપ પ્રસરે છે. પન્યાસજી શ્રીમદ્દ દાનવિજયજી મહારાજ તથા વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ લબ્ધિવિજયજી મહારાજને એજબ પ્રભાવ અને શાસનસેવા તથા વિદ્વત્તા વિના પદાર્પણે જગ જાહેર હતી. આચાર્યદેવેશ તેઓની ઈચ્છા નહિ હોવા છતાં પણ પિતાના વિચારની મક્કમતાથી જરાપણું ડગ્યા નહિ.. સંમત રહેવું પડયું– અનેક શહેરના આગેવાન શ્રાવક વર્ગે પણ તે બન્ને મહાત્માઓને તે પદ અંગીકાર કરવા અતીવ આગ્રહ કર્યો. ગુરૂ આજ્ઞાથી અને સંઘના આગ્રહથી ઈચ્છા નહિ હોવા છતાંય બનેને સંમત રહેવું પડ્યું,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy