SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ર૧પ આશાભાઈ પટેલ ચરિત્રનાયકના હૃદયંગમ પ્રવચનોથી બેધિત થયેલા પટેલ જ્ઞાતિના આશાભાઈ બારભાઈને આ બધા નિરર્થક ધાંધલના સમાચાર મળ્યા. તેઓ ગુરૂદેવ પાસે આવી સંપૂર્ણ રીતે સાચી વસ્તુસ્થિતિના વાકેફગાર બન્યા એટલે આશાભાઈને માલમ પડયું કે આ બીનપાયાદાર સંયમ વિધીઓનું તેફાન માત્ર છે. આશાભાઈ પટેલ મહારાજશ્રીની વિનતિ કરી ગામ બહાર આવેલ પિતાના બંગલામાં લઈ ગયા. કેઈપણ તોફાન ન કરે એ હેતુથી પિતાના આદમીઓને ત્યાં રેયા. આશાભાઈના પુત્ર ગોવિંદભાઈ પેરીસમાં (ફાન્સ દેશનું મુખ્ય શહેર) રહેતા હતા અને તેઓ મોતીના વહેપારી હતા અને તત્વવસ્તુને સમજવાવાળા હતા. તેમને પણ મહારાજશ્રીએ અખીલ બીનાથી માહિતગાર કર્યા. તેઓએ જણાવ્યું કે ડભોઈ એક તાર કર્યો છે અને જે કાઈ ન આવે તે કાલે દીક્ષા આપી દેવી. ડભઈ સંધ પર તાર કરવામાં આવ્યો પણ ત્યાંથી કઈ આવ્યું નહિ. એટલે જીવણભાઈને બંગલામાં દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી જયંતવિજયજી રાખી પિતાને શિષ્ય તરીકે જાહેર કર્યા. દીલાબાદ આશાભાઈ અને તેમની પાર્ટીના માણસો સાથે મહારાજશ્રીએ બેરસદથી વિહાર કર્યો. નજીકના ગામમાં નિવાસ હતું ત્યાં જીવણભાઈને માતુશ્રી આવી પહોંચ્યા. એટલે બેરસદના ઘણા જૈન જૈનેતરે ભેગા થઈને પાછા તેફાન માટે આવી પહોંચ્યા. નૂતન મુનિની પ્રતિજ્ઞા – અને નવીન મુનિને પાછાં લઈ જવા પ્રયત્ન ખેડ્યો. નવીન મુનિ શ્રી જયંતવિજયજીને સંસારી માતુશ્રી દિવાળીબેન ધર્મપરાયણ તથા સંયમના રાગી હતા. પિતે પ્રથમથી જ આજ્ઞા આપી હતી પણ લેકોને શાતિ થાય એ હેતુથી પિતાની સાથે બોરસદમાં યંતવિજયજીને સાધુના વેષમાં લઈ ગયા પણ તેમણે સ્પર્શ કર્યો ન હતું. જેમણે બહેશથી અને પિતાની સાચી ભાવનાથી સંયમને ગ્રહણ કર્યું છે.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy