SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૧૪૧ આ અરસામાં પંજાબની પરિસ્થિતિ બહુજ વિલક્ષણ હતી. જે કે, મૂર્તિપૂજક જૈને જે ચુસ્ત હતા, તે તે મક્કમજ રહ્યા. કેટલાક અર્ધદગ્ધોને તેમની વાજાળમાં ફસાવાને સંભવ રહે. આધુનિક કેળવણીના કેફથી ધર્મવિમુખ બનેલા યુવકવર્ગને આર્યસમાજીસ્ટના ઝંઝાવાતથી બગડી જવાને ભય પૂરતું હતું. સ્થાનકવાસીઓ પણ પૂર્વની દાઝથી દાટવાળતા હતા. આ પ્રસંગે તેમને પરાસ્ત કરી જૈન ધર્મની વિજયપતાકા ફરકાવવા ચરિત્રનેતા કટીબદ્ધ બન્યા હતા. | કસુર શહેરના ચાતુર્માસ બાદ ચરિત્રનેતાને વિહાર થયો. ગામેગામ જાહેર ભાષણ આપતા વિવિધ પ્રતિજ્ઞાઓની લહેણું કરતા વિપુલ વિદ્વત્તાને જનતાને પરિચય આપતા ચરિત્રનેતા સશિષ્ય છરા શહેર પધાર્યા. પૂ. સૂરિશેખરજી પ્રથમથી જ વિહાર કરી અત્રે પધારેલા હતા. જેમના દર્શનને લાભ પણ મલી ગયો. ચરિત્રનેતાની પ્રખ્યાતિ પંજાબમાં જામતી ગઈ. કસુરના વાદ વિના પરીચયે ગામેગામ ઓળખાણ કરાવી. ગુરૂદેવના ચરણકમળમાં મસ્તક મૂકી તેઓશ્રીની મીઠી નજરો અને અમી ભર્યા હાઈ આશિર્વાદેને ચરિત્રનેતાએ ગંભીર મુદ્રાએ ઝીલ્યા. વ્યાખ્યાન આદિનું કાર્ય સરિશેખરે ચરિત્રતાને સોંપ્યું. કસુરમાં થયેલ સંપૂર્ણ વાદવિવાદ, પૂર્વ પક્ષકારની યુક્તિઓ અને ચરિત્રનેતા તરફથી અપાયેલા ઉત્તરે એ સઘળું ગુરૂદેવના આગ્રહથી પુનઃ તે કહી બતાવ્યું જે સાંભળી ગુરૂ મહારાજ ઘણુંજ પ્રસન્ન થયા અને એ શક્તિ વિશેષપણે ખીલવી જૈન શાસનની જયપતાકા ફરકાવી સ્વ પર કલ્યાણ સાધે એવા આશિર્વાદથી નવાજ્યા. લગભગ પંદર દિવસ ગુરૂદેવની છાયામાં રહ્યા. તે પછી સરિશેખરને ઇરાદે બીકાનેર તરફ વિહાર કરવાને થયો. અત્રે પંજાબીઓની અત્યંત આગ્રહથી અને પૂજ્ય ગુરૂદેવની લાભાલાભ સમજ અપાયેલી આજ્ઞાથી ચરિત્રનેતાએ પંજાબમાંજ સ્થિરતા કરી. જીરામાં કેટલાક દિવસ સ્થિરતા કરી ચરિત્રનેતા વિહાર કરીને
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy