SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિશેખર [ પ પ્રીતિ ઉદ્દભવાવવામાં ભાવનાની ઉદાત્તતા અને પુનીતતા જગાવવામાં મહાન વિદ્વાન આચાર્યોએ શ્લોકા દ્વારાએ સ્તુતિએ અને પ્રેરણા કરી. તેના અનુગ રાજાઓએ, ભક્ત ધનાઢયાએ, ઉપદેશની અસરોથી પુનીત ભૂમિપર લાખાને ક્રોડાના પાણી–પ્રવાહસમાં દ્રવ્ય વ્યયથી, ભવ્ય મંદીરે બનાવી, અને શાન્ત મુદ્રાભિરામ જિનેશ્વર પ્રભુના બિંખે ભરાવી, તે મદિરાને અત્યંત મનારમ બનાવી, તે તે તીર્થોની પ્રસિદ્ધિ અને દર્શનીયતાને ખૂબજ પ્રસરાવી છે. મહદુપકારી મહાત્માઓના વિહાર પણ અનેકધા ઉપકારક નિવડે છે, ઉપરાંત પોતાના ચરિત્રને વિકાસતા, અનુભવની વૃદ્ધિ અને ભાવનાઓની વિશુદ્ધતાને પણ મહાન હેતુ અને છે. જ્યાં જ્યાં મહાત્મા વિચરે છે, તે તે પ્રદેશામાં અમૃત સહાદરી પોતાની વાણીથી અને ચારિત્રના સુપ્રતાપથી, અજખ ધર્મની છાપ પાડતા જાય છે. ભગવાન મહાવીરદેવના નિર્દોષ અને તારક સિદ્ધાંતને પણ પાઠવતા જાય છે. સાથે સાથે પાપ અને કુટીલતાની બદીઓના સડાને નાશ કરતા જાય છે. દુનિયાના ત્રિવિધ તાપ-તપ્ત જંતુઓના વિમાસણાના વિખવાદ વાદળાને વિખેરતા જાય છે. જગથી ક`ટાળેલા દુ:ખી, દરિદ્રને, નિરાધારાને મહાત્માઓના વિહાર એ ખરે ! આશીર્વાદ રૂપજ બને છે. ટૂંકમાં ત્યાગમૂર્તિ મહાત્મા, સંસારિ જીવાના કલ્યાણુ માટે અસાધારણ સાધનભૂત છે. કાહારી કેંટુંબની વિનતિ:— રિપુંગવે જ્યારે વડાદરામાં ચાતુર્માંસ કર્યું હતુ, ત્યારે આચાય દેવના તેમજ ઉપાધ્યાયજી મહારાજ શ્રીમાન વીરવિજય મહારાજના ઉપદેશથી, કાહારી જમનાદાસ, અને ઘીયા ગડબડદાસ, શ્રી સમેત–શિખર્જીના સંધ સાથે યાત્રા કરવા ભાવના ધરાવતા હતા, શ્રદ્ધાપ્રેમી કાઠારી કુટુંબ, મહિદપૂરમાં, સૂરિ-શેખરને સપરિવાર શ્રી સમેતશિખરના સંઘમાં પધારવા માટે, વિનંતી કરવા આવ્યુ, તેઓને અતીવ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy