________________
પ્રસ્તાવના. આ ઉપદેશકઃપવલ્લી નામની ટીકા શ્રાવકના કૃત્યરૂપ મને નિri Sir એ નામવાળી સઝાય ઉપર શ્રીઈદ્ધહંસગણિએ કરેલી છે. તેની અંદર શ્રાવકના ૩૬ કૃત્ય બહુ વિસ્તાર સાથે વણ વેલા છે. દરેક કૃત્યોના સંબંધમાં એકેક કથા આપેલી છે. કેટલાક કૃત્યના સંબંધમાં બે બે કથાઓ પણ છે. એક ચતુર્વિશતિસ્તવનામના અધિકાર ઉપર કથા નથી. એમાંની કેટલીક કથાઓ બહુ વિસ્તારવાળી છે અને કેટલીક સંક્ષિપ્ત છે. છેવટની વિમળમંત્રીની કથા બહુ વિસ્તારથી આપેલી છે. તે દંડનાયક અને રાજા પણ કહેવાયેલ છે. તે કથા ખાસ વાંચવા લાયક છે. બીજી કથાઓ પણ વાંચવા લાયક છે, પરંતુ ગમે તે કારણથી આપણું અન્ય અનેક અને ચરિત્રમાં આવતી કથાઓ કરતાં આ કથાઓમાં જુદાપણું દેખાય છે કેટલીક કથાઓ તે ખાસ જુદાપણું બતાવે છે. ૨૬ મા અધિકારમાં કુરગડુ મુનિની કથા છે, તેની વસ્તુ તે ખાસ જુદી છે. ૨૮ મા અધિકારમાં વૃહદ્રથની કથા છે, તેમાં પણ બહુ વિચિત્રતા છે અને જુદાપણું દેખાય છે.
આ ગ્રંથકર્તા પિતે તપગચ્છી છે એમ બતાવે છે. પ્રશસ્તિમાં પણ શ્રી સમસુંદરસૂરિ, તેના મુનિસુંદરસૂરિ, તેના જયચંદ્રરાજ, તેના રત્નશેખરસૂરિ, તેના ઉદયનંદી, તેના સુરસુંદર, તેના લક્ષ્મીસાગર, તેના સમદેવ, તેના રત્નમંડન, તેના સંમજસ, તેના ઇંદ્રનંદી, તેને ધર્મહંસગણિ અને તેના ઈહિંસગણિ એમ પટ્ટાવાળી (પિત ) આપે છે. એમાં કઈપણ સૂરિથી તે તપગચ્છથી અવશ્ય જુદા પડતા હોય એમ લાગે છે. કારણ કે તેઓ આગમના કરતાં નિગમની મહત્વતા બતાવનારા અને તેનાજ પૂર્ણરાગી જણાય છે. પ્રથમ તે એ ભાવ તેઓ ગોપવે છે પણ પાછલા ભાગમાં તેમને તે આશય બહુજ ખીલી નીકળે છે. આ ટીકા પ્રથમ વાંચતાં એઓ શુદ્ધ તપગચ્છી અને મ અહીં સુધીના સૂરિ લખે છે. છેલ્લા બેને ગણિ લખે છે.