SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ એકદા મ`ત્રીશ્વરની પાસે કાઈ કવીશ્વર આવ્યા. તેને મત્રીએ એસવાનુ કહ્યું, ત્યારે તે એણ્યે. કે-લ્હે મગી ! મારે એસવાનુ કાંઇ પણ સ્થાન નથી. કારણ કે—વસ્તુપાળ મંત્રીએ અન્નદાન, જળપાન અને ધર્મસ્થાનવડે આખી પૃથ્વી રોકી છે અને યશવડે સમગ્ર આકાશ શક્યું છે.” અન્યદા કાઇ બીજા કવીશ્વરે આવી વસ્તુપાળને આશીવાદ આપ્યા. તેને મત્રીએ પૂછ્યું' કે—“તમે કયાંથી આવા છે ? ” કવિએ જવાબ આપ્યા કે-- “હું સ્વર્ગ - માંથી આવું છું. ” મંત્રીએ પૂછ્યું—“ ત્યાં હાલમાં દેવે શુ કામ કરે છે ? ” વે ખેલ્યા કે- ત્યાં હાલમાં બ્રહ્માની આજ્ઞાથી દેવા દરરાજ ત્રણ ત્રણ ક્રેડ દરિદ્ર જનાને ઉત્પન્ન કરે છે. તેથી સ્વર્ગમાં દેવા હાલ તે કાર્યમાં વ્યગ્ર છે.” એમ કહી તે કવિએ મ’ત્રીની પાસે બીજો એક શ્લાક કહ્યા. તેના ભાવાર્થ આ પ્રમાણે હતેા કે—“હું મંત્રી ! દરિદ્ર જનાને સરજતા બ્રહ્મા અને જગતને કૃતાર્થ કરતા તમે આ બન્નેમાંથી કાના હાથ પહેલા થાકરશે તે જાણી શકાતુ નથી.” અર્થાત્ તમે થાકશા એમ લાગતું નથી. તે મંત્રી દરેક ચાતુર્માસે સર્વ શ્રાવકાનું વાત્સલ્ય કરતા હતા અને સાધુઓને વસ્ત્ર તથા ઘીનું દાન દ્વૈતા હતા. પંડિતા ગ્રંથામાં સ્પષ્ટ રીતે તેના ગુણાની સ્તુતિ કરતા હતા, તથા ગાયકા નવા નવા છંદોવડે તેનાં ગીત ગાતા હતા. તેઓ કહેતા કે‘પુણ્યના પરમાણુથી બનેલા વસ્તુપાળ નામના નરરત્નને જેણે જોયા છે તે મનુષ્યા પૃથ્વી પર ધન્ય છે. હે વસ્તુપાળ ! તમારૂં ચાતુર્ય અલોકિક છે, કેમકે તે એકજ શંખ ભાંગીને આખુ જગત શ્વેત કર્યું છે. ” એકદા મંત્રીશ્વરના માથાના કેશ સાફ કરનાર સેવકે એક પળી (શ્વેત વાળ) કાઢીને તેના હાથમાં મૂકયા. તે જોઈ મંત્રી એ ૧ ખીજા પક્ષમાં શ ́ખ નામના‚ રાજા જેને વસ્તુપાળે જીત્યા હતા.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy