SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ {' 4 ) ણાની ખાલાચના કર્યાં વિના સલેખનાવડે મરણ પામી તે સાધર્મ દેવલેાકમાં શચી ( ઈંદ્રાણી ) થઇ. ત્યાં અત્યંત સુખ સેગવી - યુષ્યને ક્ષયે ચવીને અહીં દ્રુપદ રાજાની દ્રોપદી નામે પુત્રી થઇ છે પૂર્વ ભવના નિયાણાને લીધે તે પાંચ પુરૂષની સ્ત્રી થઈ છે. તેથી તેમાં કાંઇ આશ્ચર્ય નથી. ” ઉદયમાં આવેલા કર્મ પ્રાણીને ભાગવાંજ પડે છે. આ પ્રમાણે મુનિએ તેના પૂર્વ ભવ કહ્યા કે તરત જ આકાશમાં પશુ ‘ સાધુ સાધુ ’ એવી વાણી થઈ. તે સાંભળી શ્રીકૃષ્ણ વિગેરે માલ્યા કે — “ અહા ! આ ઢાપદીનું પૂર્વ જન્મનુ પુણ્ય વિશ્વને આશ્ચર્યકારક છે. ” ત્યારપછી દ્રુપદ રાજાએ દ્રોપદીને પાંચે પાંડવાની સાથે પ્રીતિના કારણરૂપ પાણિગ્રહણ મહાત્સવ કર્યો. એક સ્ત્રીને પાંચ પતિ છતાં તેનું સતીપણું કાઈ વખત જોયુ કે સાલન્યું નથી, તાપણુ દ્રોપદીનુ અપૂર્વ સતીત્વ પુણ્યના પ્રભાવથી થયું. યુધિષ્ઠિરને રાજ્યપર સ્થાપન કરી પાંડુરાજા અને માદ્રીએ ચાર્જિંગ ગ્રહણ કર્યું. એકદા દુર્યોધનની સાથે ઘત રમતાં પાંડુરાજાના પુત્રા પિતાનું રાજ્ય હારી ગયા. ઘૂતની ક્રીડાને ધિક્કાર છે. વેર, વિશ્વાનર ( અગ્નિ ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચ વકાર વૃધ્ધિ પામવાથી મહા અનર્થ થાય છે. રાજ્ય હારી જવાથી પાંડવા પેાતાની માતા કુંતી અને સ્રી ઢોપદીને સાથે લઈ વનમાં ગયા. ચંદ્રની જેમ મેાટા પુરૂષાને સોંપત્તિ અને વિપત્તિ અને t ? પ્રાપ્ત થાય છે. એકદા સુખ સાગરમાં મગ્ન થયેલા પાંચે પાંડવા વનમાં એકસ્થાને બેઠા હતા, તે વખતે આકાશમાંથી એક સુવર્ણકમળ નીચે પડયું. તે લઇને પાંચાલી ( દ્રોપદી ) એ પોતાના સુખના શ્વાસની સુગંધ જેવું જ છે કે નહીં તે જાણવાને ઈચ્છતી હાય તેમ તેને આદરપૂર્વક લઇને સુ. ત્યારપછી હર્ષથી પૂર્ણ થયેલી તે દ્રોપદી રાણીએ વાયુપુત્ર ભીમને કહ્યું કે “હું સ્વામી ! આવાં મળે *.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy