SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. [ આત્મતત્ત્વવિચા વિશુદ્ધપૂર્વીક બહુ મોટી સખ્યામાં નાખવા તે ગુણસ કેસ છે. સંક્રમણ સજાતીય પ્રકૃતિનું થાય છે, વિજાતીય પ્ર તિઓનું થતું નથી, એ યાદ રાખવું. પછીનાં ગુણસ્થાને માં માત્ર જઘન્ય સ્થિતિને કબધ કરવાની ચેાગ્યતા મેળવવી એ અપૂસ્થિતિબંધ છે. આ ગુણસ્થાનને કેટલાક નિવૃત્તિ અને કેટલાક નિવૃત્તિ -આદર કહે છે, તેનું કારણ એ છે કે આ ગુણસ્થાને સમકાલે જે આત્માઓને પ્રવેશ થયેા હાય તેના આ અધ્યવસાયાન ભેદની સંખ્યા ગણી ગણાય તેમ નથી, એટલે તેને અસ`ખ્યાત કહેવામાં આવે છે. જેઓ નિવૃત્તિ પછી માદર શબ્દ લગાડે છે, તે અહી સ્થૂલ કષાયેાની વિદ્યમાનતા છે, એમ બતાવવાને લગાડે છે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને ધર્મધ્યાન સારી રીતે સિદ્ધ થયા પછી આ ગુણસ્થાને વતા જીવા શુકલ ધ્યાનના આરભ કરે છે અને તેના પહેલા પાયે ચડે છે. અહી એટલી વસ્તુ યાદ રાખવી જોઈએ કે આ ધ્યાન વજઋષભનારાચ સંઘયણવાળાને જ સભવે છે. શુકલ ધ્યાનના સંબંધ આગળનાં ગુણસ્થાના સાથે પણ રહેલા છે, એટલે તેને સામાન્ય પરિચય અહીં આપી દઈશું. શુક્લધ્યાનના ચાર પ્રકાશ શુકલધ્યાન એટલે ઉજજવલ ધ્યાન, જેમાં આત્માની ઉજ્જવલતા વિશેષ પ્રકારે પ્રકટ થાય એવું ધ્યાન. મ ધ્યાનની જેમ તેના પણ ચાર પ્રકારે છે : (૧) પૃથક્† વિતક ગુણાન] ૧૭૫ સવિચાર, (૨) એકત્વ-વિતર્ક -નિર્વિચાર, (૩) સૂક્ષ્મક્રિયાઽપ્રતિપાતી અને (૪) સમુચ્છિન્ન ક્રિયાઽનિવૃત્તિ. અહી એક મહાશય કહે છે કે આ નામ તે બહુ અઘરાં છે, પણ એ તે રસ અને અભ્યાસને પ્રશ્ન છે. જો આ વિષયમાં તમે રસ લે અને તેને અભ્યાસ કરી તે આ નામ સરળતાથી યાદ રહી જાય. તમે શેરાના ધા કરી છે, ત્યાં કપનીએનાં લાંખા લાંખા નામે! યાદ રહી જાય છે કે નહિ? કારણ ત્યાં રસ ને અભ્યાસ છે. કાપડમાં હવે તે અનેક જાતા વધી રહી છે અને તેનાં નામેા ઘણાં અટપટાં હોય છે, પણ તમને કાપડના વિષયમાં રસ હાવાથી અને તેના પ્રતિદિન અભ્યાસ હાવાથી એ નામેા યાદ રહી જાય છે કે નહિ ? શુકલધ્યાનના પહેલા પાયા કે પહેલા પ્રકાર તે પૃથકત્વ–વિત-સવિચાર. આ ત્રણે શબ્દોના અર્થ ખરાખર સમજશે, એટલે વસ્તુ સ્પષ્ટ થઈ જશે. અહીં પૃથકત્વને અથ છે ભિન્નતા, વિતર્કના અર્થ છે શ્રુતજ્ઞાન અને વિચારને અર્થ છે એક અર્થ પરથી ખીજા અર્થ પર, એક શબ્દથી ખીજા શબ્દ પર અને એક (માનસિકાદિ) ચેાગથી બીજા યાગ પર ચિંતનાથે થતી પ્રવૃત્તિ. મતલબ કે શ્રુતજ્ઞાનનાં આલંબનપૂર્ણાંક ચેતન અને અચેતન પટ્ટામાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, રૂષિત્વ, અરૂપિત્વ, સક્રિયત્વ, અક્રિયત્વ આદિ પર્યાયાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું, તે આ ધ્યાનના મુખ્ય વિષય છે.
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy