SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ હૃદયંગમ પદ્ધતિથી દલીલે, દષ્ટાંત તેમ જ વિસ્તારથી સમેક્ષિાપૂર્વક રજૂ થઈ છે. પ્રથમ ભાગમાં ૨૩ પ્રવચને પ્રસિદ્ધ થયાં છે ને બીજા ભાગમાં પણ ૨૩ પ્રવચને પ્રગટ કરાયાં છે. આવા અલ્પસંખ્યક પ્રવચનમાં થયેલ સંગ્રહ સૌને મનન-ચિંતનપૂર્વક વાંચવા જેવો છે. એનાં વાંચનથી આત્માનાં અસ્તિત્વની વિચારણાથી માંડી આત્માનું સ્વરૂપ અને તેની અખંડિતતા, તેની સંખ્યા, તેની મહત્તા, તેની સર્વજ્ઞતા, તેની શક્તિ ને તેનામાં રહેલું સુખ, તેની સુમ–તાત્વિક હોવા છતાં સાત્વિક વિચારણા ગંભીર છતાં હળવી ભાષામાં અહીં પ્રથમખંડમાં પ્રસિદ્ધ થયેલી છે. પાને પાને દલીલ, દાંત અને ઝીણવટભર્યું" ઊંડાણુ આપણને અહીં મળી રહે છે. પુસ્તક વાંચતાં જાણે આપણે પ્રવચનકાર પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીનાં સ્વમુખે જ વ્યાખ્યાન સાંભળતા હોઈએ તે શિલીએ પુસ્તકના વિષયેને સંકલિત કરીને સંપાદિત કરાયા છે. આ માટે સંગ્રાહક શતાવધાની પન્યાસજી મહારાજશ્રીને પરિશ્રમ પ્રશંસા માંગી લે છે. તદુપરાંત સંપાદકને પરિશ્રમ પણુ અવશ્ય ઉષકારક છે. આમતત્ત્વની વિચારણા આજે સર્વત્ર ભૂલાઈ ગઈ છે. તેનાં જ કારણે આજે જગતમાં અનેક પ્રકારના વૈર, વિખવાદ, કલહ, કલેશે, અનીતિ, અત્યાચારે તથા હિંસા, ક્રરતા અને અશાંતિનાં નિમિત્તો વધતાં જ ચાલ્યાં છે. આ જ કારણે પ્રથમ ખંડમાં રજૂ થયેલી આત્મતત્વની વિચારણાની સાથોસાથ પુનર્જન્મ અને જૈન દર્શનમાં છ દ્રવ્ય, જીવાદિ નવતર નું સ્વરૂપ ટુંકમાં પણ સારગ્રાહી પદ્ધતિએ જે સંકલિત થયેલ છે, તે એક વખત અવશ્ય વાંચવું જરૂરી છે. ને એમાંથી સૌ કોઈને સુંદર બાધ ને સદવિચારનું મંગલ પાથેય પ્રાપ્ત થશે. જીવનેપાળી ઘણી ઘણી વાત આ પુસ્તકનાં વાંચનમાંથી અવશ્ય મળી રહે તેમ છે. બાલ કે યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ દરેકને, વિદ્વાન કે અજ્ઞાન પ્રત્યેકને, આમાંથી સમજવા જેવું, જાણવા જેવું ને ગ્રહણ કરવા જેવું ઘણું ઘણું છે. વિષ્યનું પ્રતિપાદન ઔધ થાય તેવી શકી નથી, પણું સરલ શેલી છે. દષ્ટાતિ પ્રસિહ અપ્રસિદ્ધ અનેક છે. દ્રવ્યાનુયેગથી માંડીને ચારે અનુયેગનું નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. બીજા ખંડમાં જૈન દર્શનના કર્મવાદનું વાસ્તવિક સ્વરૂપ સંકળાયું | છે. જેમાં પ્રથમ ખંડમાં આત્મા જેવા ગહન પદાર્થને સરલ કરીને | પ્રવચનકાર જાણે આપણી સામે તેઓ વાત કરતા હોય તેમ સમજાવ્યું છે, તેવી જ રીતે આત્માનાં સ્વરૂપને સમજવામાં જેનો મહત્વનો હિસ્સો છે, તે કર્મવાદનું તત્ત્વજ્ઞાન આ બીજા ખંડમાં ખૂબ વિશદ શિલીમાં - નિરૂપિત કરવામાં આવેલ છે. કર્મનું સ્વરૂપ, કમની શક્તિ, કર્મબંધનાં કારણો અને કર્મના પ્રકારે ઈત્યાદિ તાત્વિક હકીકત અહીં ઘણી રસમય ભાષામાં હળવી શૈલીમાં રજૂ થઈ છે. જૈન દર્શનનું કર્મ વિષેનું તત્વજ્ઞાન આ રીતે પ્રવચનમાં મૂકવું એ પણ પૂo વ્યાખ્યાનકાર આચાર્ય મહારાજશ્રીની વકતૃત્વશક્તિની વિશિષ્ટતા તથા તેઓશ્રીની નિરૂપણપદ્ધતિનું અપૂર્વ કૌશલ્ય દર્શાવે છે. ત્રીજા ખંડમાં ધર્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ રીતે આત્મા, કર્મ તથા ધર્મતત્વની વિચારણાના આ સર્વજનેપાગી ગ્રંથ સર્વ રીતે લેકે પકારક જનજૈનેતર પ્રજાસમક્ષ જૈનદર્શનને વિશદ શૈલીએ સમજવા માટે અનુપમ અદ્વિતીય ગ્રંથરત્ન છે. તેઓશ્રીની વિદ્વતા અગાધ હોવા છતાં અહિં તેઓ દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ, ચરણ-કરણાનુયોગ તથા ધર્મકથાનુગ એમ જૈન શાસનના ચારેય અનુગોને જે રીતે સરલ, સ્વચ્છ, બાલ તથા લોકભાગ્ય શૈલીએ રજૂ કરે છે, તે તેઓશ્રીનાં હૃદયમાં રહેલી સવજન હિતાવહની મંગલ ભાવનાનું મૂર્તિમંત પ્રતીક છે. સમગ્ર રીતે જોતાં અહિં બે ભાગમાં જે જે વિષયોનું નિરૂપણ થયું છે, તે તાત્ત્વિક હોવા છતાં કેવું હળવું, અને કેવું સરસ, સરલ અને મનનીય રીતે થયું છે, તે ખૂબીની વાત છે. આ બન્ને ભાગે આ દૃષ્ટિએ સાહિત્યજગતમાં રત્નસમા છે, જૈનશાસનને તેમ જ જગતને જાણવા માટે માર્ગદર્શક ભોમિયા છે ને ગાગરમાં સાગરરૂપે સમસ્ત વિશ્વનાં તત્ત્વજ્ઞાનને ખજાને છે. તેથી પુસ્તક સભર છે. પ્રાચીન તથા અર્વાચીન દષ્ટાંત વાંચતાં
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy