SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ [ આત્મતત્ત્વવિચાર કરવાની છે. તેને અઢલે શિક્ષક અર્થ કરીએ તેા ગૃહસ્થાવસ્થામાં રહેલા ધધાદારી સર્વ શિક્ષકાને વદના થાય. એનું ફળ શું? ધર્મ શબ્દ ધ્ ધાતુપરથી બનેલે છે અને ધૃ ધાતુ ધારણ કરવાના, ધારી રાખવાના અથ ખતાવે છે. તેને લક્ષમાં રાખીને આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે જે, પ્રાણીઓને દુર્ગતિમાં પડતાં ધારી રાખે તેને ધ કહેવાય.' આ વ્યાખ્યા કેટલી સ્પષ્ટ અને સુંદર છે ? તેના અથ બરાબર સમજી લઈએ. જે એટલે જે વિચારણા, માર્ગ, વિધિવિધાન, ક્રિયા કે અનુષ્ઠાન પ્રાણીઓને દુર્ગંતિમાં એટલે અધાતિમાં કે દુર્દશામાં પડતા ધારી રાખે-બચાવે તેને ધમ કહેવાય. ધ પ્રાણીને દુતિમાં જતાં ખચાવે એટલું જ · નહિ, -પણુ સદ્ગતિ તરફ લઈ જાય, ઉન્નતિ તરફ લઈ જાય. આ વસ્તુ નીચેના શ્લેાકમાં સ્પષ્ટ કરવામાં આવી છેઃ दुर्गतिप्रसृतान् जन्तून्, यस्माद् धारयते पुनः 1 धत्ते चेतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ॥ - દુર્ગાંતિ તરફ જઈ રહેલા વાના ઉદ્ધાર કરીને તેમને પુનઃ શુભસ્થાને સ્થાપે, તેથી તે ધમ કહેવાય છે. ' ધનાં લક્ષણ દરેક વસ્તુ તેનાં લક્ષણથી ઓળખાય. આ માણસ સારે છે અને આ માણસ ખરામ છે; અથવા આ માણુસ ડાહ્યો છે અને આ માણસ મૂખ છે, એમ શાથી કહેા છે ? તેનાં લક્ષણ પરથી જ ને ? એક માણસ છતી શક્તિએ ધર્મની ઓળખાણ શી? ] ૨૯. ઉદ્યમ ન કરતા હાય, પડિતાની સભામાં પેાતાનાં વખાણુ કરતા હાય, દંભ તથા આડંબર પર ભરાસા રાખતા હોય, જુગારથી ધન મેળવવાની આશા રાખતા હોય, શક્તિ કરતાં ઘણું મેલું કામ ઉપાડતા હાય, માથે દેવુ' કરીને ઘર કરતા હાય કે વૃદ્ધ થઈ ને લગ્ન કરતા હોય તે તમે તરત જ કહેશે। 'કે આ મૂખ છે. તે જ રીતે જે અવસર વિનાનુ ખેલતા હાય, લાભના ટાણે કલહ કરતા હોય, ભેાજનના સમયે ક્રોધ કરતા હોય, કામી પુરુષા સાથે હિરફાઇ કરીને ધન ઉડાવતા હોય, અહંકારથી અન્યનાં હિતવચને સાંભળતા ન હોય કે કૃતઘ્ન પાસેથી ઉપકારના બદલાની આશા રાખતા હોય, તે તેને પણ મૂખ જ કહેશે. માણસની જેમ ધર્માં પણ તેનાં લક્ષણ પરથીજ આળખાય છે. આપણા જ્ઞાની પુરુષાએ ધર્મને ઓળખવા માટે કેટલાંક લક્ષણા ખતાવ્યાં છે. તે શ્રી શય્યંભવસૂરિ મહારાજે શ્રી દશવૈકાલિકસૂત્રની પ્રારંભિક ગાથામાં નીચે પ્રમાણે જણાવ્યાં છેઃ— धम्मो मंगलमुक्किट्ठ, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥ ૮ ધર્મ એ ઉત્કૃષ્ટ મ’ગલ છે. તે અહિંસા, સયમ અને તપનાં લક્ષણવાળા છે. આવા ઉત્તમ લક્ષણવાળા ધમ જેનાં મનમાં વસે છે, તેને દેવે પણ નમસ્કાર કરે છે.’ અહી” સૂત્રેા પરત્વે બે શબ્દો કહેવા ઇચ્છીએ છીએ. સુત્રા થોડા શબ્દોમાં ઘણું કહે છે અને તેનુ પ્રત્યેક વચન
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy