SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ આત્મા એક માટે પ્રવાસી હવે આ વાત તે આત્માના એક જ પ્રવાસની થઈ, પણ આવા પ્રવાસે તે તેણે આજ સુધીમાં અનંતી વાર કર્યા છે. શાસ્ત્રકાર ભગવંતે કહે છે કે – न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सब्वे जीवा अणंतसो ॥ આ લેકમાં–ચૌદ રાજ પ્રમાણ વિશ્વમાં એવી કઈ જાતિ નથી, એવી કઈ એનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કંઈ કુલ નથી કે જ્યાં સર્વ જી અનંતી વાર જમ્યા અને મર્યા ન હોય.” આ પ્રવાસના આંકડા કેણ માંડી શકે? એક લાખ માઇલ લાંબી કાગળની પટ્ટી હોય તે પણ તે ઓછી જ પડે. તાત્પર્ય કે આત્મા એક ન કલ્પી શકાય એ માટે પ્રવાસી છે અને તેના પ્રવાસનું કઈ માપ નથી. લખ ચોરાશીના ફેરા, જન્મ ધારણ કરવાનાં ક્ષેત્રને–સ્થાનને નિ કહેવામાં આવે છે. તેની સંખ્યા ચોરાશી લાખની હોવાથી આ સંસાર લખ ચોરાશીના ફેરા કહેવાય છે. મતલબ કે આત્માને પિતાનાં કરેલાં કર્મોને લઈને આ રાશી લાખ યોનિમાં ફરી ફરીને અવતરવું પડે છે. ઘણે ભાગ્યશાળીઓ આ ચારાશી લાખ ચનિનાં નામ જાણતા નહિ હોય, કારણ કે એ વિષય બે પ્રતિક્રમણમાં આવે છે અને બે પ્રતિક્રમણ સુધી પહોંચનાશ બહુ થડા હોય છે.
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy