________________
આત્મતરવવિચારે
હોવાથી તેને પધવેશ્યા સમજવી અને છઠ્ઠ પુરુષનાં અશુભ અયવસાયો મંદતમ હોવાથી તેને શુકલયા સમજવી. તેજે, પદ્મ અને શુકલ લેશ્યાઓની ગણના શુભ લેશ્યાઓમાં થાય છે અને તે ઉત્તરોત્તર વધારે શુભ છે.
આટલું યાદ રાખે આટલી વસ્તુ યાદ રાખે કે જેમ રસ વધુ તેમ કમને બંધ તીવ્ર અને રસ ઓ છે તેમ કર્મનો બંધ ઢીલે. પુણ્ય બાંધતી વખતે જે વિચાર કરીએ તે રસથી-
વિલાસથી કરીએ તે તે તીવ્ર રૂપે બંધાય અને તેનું ફળ ઘણું શુભ મળે. પુણ્ય મળે. પરંતુ તે રસ વિનાનું હોવાનાં કારણે તેનું ફળ સાધારણ મળે, પહેલાં જેવું ન મળે. માટે જ્યારે ધર્મક્રિયા કરે, ત્યારે આનંદ-ઉત્સાહ-રસપૂર્વક કરો. જેથી તેનું ફળ સુંદર મળે અને સાંસારિક કે પાપમય કાર્યો કરવા પડે ત્યારે દુભાતા દિલે કરો, જેથી કર્મને બંધ ઢીલું પડે અને તેનું વિશેષ દુઃખ ભોગવવાનો વખત આવે નહિ.
લેશ્યા વિષે કેટલાક પ્રશ્નો પ્રશ્ન-લેશ્યાઓનાં નામ રંગ પ્રમાણે ગોઠવાયાં છે, તેમાં કોઈ હેતુ છે?
ઉત્તર-આત્માએ ગ્રહણ કરેલાં જે પુદગલે શ્યારૂપે પરિણમે છે, તે દ્રવ્યલેશ્વા કહેવાય અને આત્માના જે અધ્યવસાયે તે ભાવલેશ્યા કહેવાય. દ્રવ્યલેશ્યાને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ હોય છે, તેમાં જે લેયાને જેવો વર્ણ અર્થાત રંગ હોય તે નામથી તેને સૂચિત કર્યો છે. પ્રથમ સહુથી ઘેરે